Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

સ્ટીલનો ઉપયોગ થયો હોત તો શિવાજીની પ્રતિમા ધરાશયી ન થઇ હોત: નીતિન ગડકરી

Wed, September 4 2024

કેન્દ્રીય મંત્રીએ વિવાદને વધુ હવા આપી

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ ફોર્ટ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા માત્ર આઠ મહિનામાં ધરાશાયી થવા બદલ રાજ્ય સરકાર ઉપર માછલા ધોવાઈ રહ્યા છે અને ભ્રષ્ટાચાર તેમજ નબળા બાંધકામના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપેલા એક નિવેદનને કારણે વિવાદ વધુ વકરવાની સંભાવના છે.

ગડકરીએ કહ્યું કે જો પ્રતિમાના બાંધકામમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થયો હોત તો આ દુર્ઘટના ન બની હોત. તેમણે સમુદ્ર નજીક બનતા પુલોના બાંધકામમાં સ્ટેનલેસ સ્ટીલ નો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું.પોતે રાજ્યના મંત્રી હતા તે સમયના અનુભવોનું તેમણે વર્ણન કરતાં તેમણે કહ્યું કે એ સમયે મુંબઈમાં 55 ફ્લાય ઓવર બનતા હતા ત્યારે એક વ્યક્તિએ લોખંડના પાઇપ ઉપર પાવડરનો છંટકાવ કરી એ પાવડર કાટ પ્રતિરોધક હોવાનું જણાવ્યું હતું પરંતુ તે પછી પણ તેમાં કાટ લાગી ગયો હતો.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મને લાગે છે કે સમુદ્રની 30 kmની ત્રિજ્યામાં બનતા તમામ રસ્તાઓના બાંધકામમાં સ્ટેનલેસ સ્ટીલ નો ઉપયોગ કરવો જોઈએ. જો શિવાજીની પ્રતિમામાં સ્ટેનલેસ સ્ટીલ નો ઉપયોગ થયો હોત તો ધરાશય થવાની આ ઘટના ન બની હોત. ગડકરીએ પરોક્ષ રીતે આ પ્રતિમાના બાંધકામમાં થયેલી ક્ષતિઓ દર્શાવ્યા બાદ રાજ્ય સરકાર વધુ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે.

‘શિલ્પકાર ‘ આપ્ટે દસ દિવસ થયા છતાં પકડાતો નથી

શિવાજીની પ્રતિમા ધરાશયી થવાની ઘટનાને પગલે રાજ્ય સરકાર બેકફુટ પર આવી ગઈ છે. મુખ્યમંત્રી શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માફી માગ્યા બાદ પણ આ મુદ્દો વધુને વધુ તુલ પકડી રહ્યો છે. તેમાં પણ આ મૂર્તિ બનાવનાર શિલ્પકાર જયદીપ આપ્ટે ઘટનાના દસ દિવસ થયા છતાં ન પકડાતા સરકારને ઘેરવાનું વિપક્ષોને વધારાનું શસ્ત્ર મળી ગયું છે. નોંધનીય છે કે આપ્ટે ની ઉંમર માત્ર 24 વર્ષની છે.

આવડી મોટી પ્રતિમા બનાવવાનો તેને કોઈ અનુભવ નહોતો. આ અગાઉ તેણે મોટામાં મોટી બે ફૂટની પ્રતિમા બનાવી હતી.આપ્ટે મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે સાથે સંકળાયેલો હોવાને કારણે એ બિનઅનુભવી વ્યક્તિને કામ સોપાયું હોવાનો વિપક્ષો આક્ષેપ કરી રહ્યા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં આપ્ટેને કોણ બચાવી રહ્યું છે તેઓ સવાલ કરવામાં આવ્યો હતો. સંજય રાઉતે તો કહ્યું કે આપ્ટે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનમાં જ છુપાયો હોવાની લોકો શંકા કરી રહ્યા છે. કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ દેવેન્દ્ર ફડણવિસ અને પોલીસ વડા રશ્મિ શુકલાના રાજીનામાની માગણી કરી હતી. એનસીપી ( શરદ પવાર) ના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે આપ્ટે ક્યાં છે તેનો જવાબ દેવેન્દ્ર ફડણવિસે આપવો જોઈએ.

શિવાજીએ સુરત લૂટ્યું નહોતું: ફડણવીસ શિવાજીએ સુરત લૂંટ્યું હતું: નારાયણ રાણે

પ્રતિમા ધરાશયી થવાની ઘટનાને વિપક્ષો શિવાજી મહારાજના અપમાન સમાન ગણાવી રાજ્ય સરકારને ઘેરી રહ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડાણવીસે
શિવાજી મહારાજનું કોંગ્રેસે કદી સન્માન ન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે જવાહરલાલ નેહરુએ તેમના ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકમાં શિવાજી મહારાજ અંગે ખોટી માહિતીઓ લખી હતી અને કોંગ્રેસે શિવાજી મહારાજની વિરાસત ને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. શિવાજીએ ક્યારેય પણ સુરત લૂંટ્યું ન હોવાનો ફડાણવીસે દાવો કર્યો હતો. જો કે બીજી તરફ ભાજપના જ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ફડણવીસના દાવાને ખોટો સાબિત કર્યો હતો. મુંબઈમાં ભારતીય જનતા પક્ષના વડામથકે એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે હું ઇતિહાસવિદ નથી પરંતુ પ્રખ્યાત ઇતિહાસકાર બાબાસાહેબ પુરોદર ને મેં વાંચ્યા અને સાંભળ્યા છે અને તેના પરથી એવું લાગે છે કે છત્રપતિ શિવાજી મહારાજ એ સુરતને લૂંટ્યું હતું.

Share Article

Other Articles

Previous

કલ્પધર: હે તીર્થંકર પરમાત્મા ! તમે સર્વસ્વ છો, હું શૂન્ય છું

Next

સીજીએસટીમાં સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઇન્સ્પેકટરોની બદલીનો ઘાણવો કઢાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
6 કલાક પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
6 કલાક પહેલા
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
7 કલાક પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
7 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની અતિભવ્ય ઉજવણી: દાદાના દર્શન કરવા ભક્તોનું ઘોડપુર ઉમટ્યું
ધાર્મિક
2 વર્ષ પહેલા
કોઠારીયા રોડ ઉપર શ્યામ પાર્કના રહેવાસીઓએ 5551 જેટલા દીવાઓ વડે રામ મંદિર તૈયાર કર્યું ..જુઓ વીડિઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
તો… લોકમેળાનો બહિષ્કાર ! ધંધાર્થીઓની ચીમકી
રાજકોટ
1 વર્ષ પહેલા
કોરોના કરતા પણ 20 ગણી મોટી બીમારી ? 5 કરોડ લોકોના થઇ શકે છે મોત : WHOનું એલર્ટ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર