પંજાબના કેબિનેટ મંત્રીને કેટલી જેલ સજા થઈ ? જુઓ
- શું અપરાધ હતો ?
- કેટલા લોકોને જેલ થઈ ?
પંજાબના કેબિનેટ મંત્રી અરોરા સહિત 9 લોકોને 2 વર્ષની જેલ, હુમલાનો કેસ હતો
સુપ્રીમ કોર્ટે પંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરાને પારિવારિક ઝઘડાના કેસમાં 2 વર્ષની સજા ફટકારી હતી. આ સાથે અન્ય 8ને પણ 2-2 વર્ષની સજા જાહેર કરાઈ હતી. બનેવીના ઘરમાં હુમલો કરવાના કેસમાં કોર્ટે 9 લોકોને સજા ઉપરાંત દંડ પણ ફટકાર્યો હતો.
2008માં અરોરા પર ઘરમાં ઘૂસી હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. એવું કહેવાય છે કે, અરોરાના બનેવી રાજિંદર દીપાએ ઘરમાં ઘુસી હુમલો કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. રાજિંદરે એવો આક્ષેપ કર્યો હતો કે, અરોરાએ પોતાના સાથીઓ સાથે ઘરમાં ઘુસી હુમલો કર્યો, ત્યારે કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી આ કાર્યવાહી કરી હતી. અરોરાને સજાની જાહેરાત થયા બાદ પંજાબના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
અમન અરોરા આમ આદમી પાર્ટીના નેતા અને સંગરૂરના સુનામ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. અરોરાએ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના જસવિંદર સિંહ ધીમાનને 75277 મતોથી હાર આપી હતી.