આસામમાં કેટલા હજાર કરોડની ઠગાઇ બહાર આવી ? કેવી રીતે ફસાયા લોકો ? વાંચો
આસામના ગુવાહાટી ખાતે લોકોના નામે બેન્ક ખાતા ખોલાવીને ઠગાઇ કરનાર સાઇબર ગુનેગારોની એક ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગોટાળો રૂપિયા 22 હજાર કરોડનો હોવાનું બહાર આવ્યું છે અને તેમાં અનેક લોકો સંડોવાયેલા હોવાની જાણકારી મળ્યા બાદ પોલીસ અને સાઇબર સેલ એક્ટિવ થયા હતા.
દલાલોએ લોકોને રૂપિયા બમણા કરી આપવાની લાલચ દઈને ઓનલાઈન શેર બજારમાં ઠગાઇ કરી હતી. પોલીસે આ બારામાં 4 લોકોની ધરપકડ કરી છે. આ ગેંગ સમગ્ર રાજ્યમાં ફેલાઈ હોવાની શંકાના આધારે પોલીસે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી.
ગેંગના સભ્યો દ્વારા લોકોને એવો વાયદો કરવામાં આવતો હતો કે રોકાણના 60 દિવસમાં જ 30 ટકા રિટર્ન મળશે. આ માટે ગુનેગારોએ 4 બોગસ કંપનીઓ કાગળ પર બનાવી હતી. આસામના ફિલ્મ જગતમાં પણ ગેંગે રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.
એક નાગરિકે ફરિયાદ દાખલ કર્યા બાદ આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. પોલીસ વડાએ એમ કહ્યું હતું કે ગેંગ દ્વારા અનેક સંપત્તિઓ પણ વસાવી લેવાઈ છે અને તપાસ ઝડપી બનાવાઇ છે. થોડાક જ દિવસોમાં બાકીના ગુનેગારો પણ પકડાઈ જશે. આ ઠગાઇ ટોટલ રૂપિયા 22 હજાર કરોડની હોવાનું જાણવા મળ્યું છે અને હજુ કેટલાક લોકોની ધરપકડ થવાની છે.
આ ગેંગ દ્વારા ઈન્ટરનેટ અને ફોન મારફત લોકોનો કોન્ટેક્ટ કરીને લાલચો આપવામાં આવી હતી અને મોટા પાયે લોકોએ રોકાણ કરી નાખ્યું હતું. 30 ટકા રિટર્નની લાલચમાં લોકો ફસાયા છે.