પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં કેટલા દેશના મહેમાનો આવશે ? વાંચો
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશમાંથી સેંકડો મહાનુભાવો આવી રહ્યા છે પણ સાથોસાથ દુનિયાના અનેક દેશોમાં પણ તે માટેનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને મહોત્સવમાં 54 દેશોના 100 થી વધુ મહાનુભાવો મહેમાન બનવાના છે. એમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, મોરેશીયસ સહિત યુરોપના અનેક દેશોના અતિથિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંઘ પરિવાર અને વિહીપના આંતરરાષ્ટ્રીય શાખાઓના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેવાના છે. આ મહોત્સવને એક વૈશ્વિક રૂપ આપવામાં આવી રહ્યું છે.
બોલિવૂડના કલારો અને સાથોસાથ દક્ષિણના કલાકારોને પણ આમંત્ર આપવામાં આવ્યા છે અને બધાએ ઉત્સાહ બતાવ્યો છે. મહોત્સવનો ઉલ્લાસ માત્ર ભારત જ નહીં પણ દુનિયાના અનેક દેશોમાં જોવા મળી રહ્યો છે.