નોનવેજ થાળી કેટલી મોંઘી થઈ ? વાંચો
કેટલા ટકા વધારો થયો ?
દેશનુ અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે પણ મોંઘવારી દેશના સામાન્ય અને બધા જ વર્ગના લોકોને નદી રહી છે અને ફરી વાર આ હકીકત સામે આવી છે. દેશમાં માર્ચ માસમાં વેજીટેબલ થાળી 7 ટકા જેટલી મોંઘી થઈ હતી. તેના ભાવમાં અક્ષય વધારો થયો હતો.
જ્યારે નોનવેજ થાળી ઉલટાની સસ્તી થઈ હતી. તેના ભાવમાં 7 ટકાનો ઘટાડો થયો હતો. રેટિંગ એજન્સી ક્રિસિલ માર્કેટના સર્વેમાં આ હકીકત ઉજાગર થઈ હતી. અહેવાલમાં એવી માહિતી અપાઈ હતી કે 2023 માં માર્ચમાં વેજીટેબલ થાળી રૂપિયા 25.5 ના ભાવ પર હતી જ્યારે ચાલુ વર્ષે માર્ચમાં તેનો ભાવ રૂપિયા 27.3 પર રહ્યો છે.
જો કે આ ભાવ વધારા પાછળનું કારણ એવું અપાયું છે કે પાછલા સમયમાં ડુંગળી અને ટમેટાં સહિતની ચીજોના ભાવમાં બેકાબૂ વધારો રહ્યો હતો અને હજુ પણ તેના ભાવ વધેલા જ છે. વેજ થાળીમાં ડુંગળી, બટેટા, ટમેટાં, રાઈસ,દાળ રોટી અને સલાડનો સમાવેશ થાય છે.
દેશના બધા જ રાજ્યોમાં કરવામાં આવેલા સર્વે બાદ આ નવા ભાવ વધારાની માહિતી બહાર આવી હતી. ડુંગળી અને બટેટાના ભાવમાં વધારા માટે એવું કારણ અપાયું છે કે સપ્લાઈ અધૂરી હતી અને તેને પગલે ભાવ વધારી દેવાયા હતા.
વાર્ષિક ધોરણે થયેલી સરખામણી મુજબ નોનવેજ થાળીના ભાવમાં અસહ્ય વધારો થયો છે અને લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. તેની સામે નોનવેજ થાળીના ભાવમાં સારો એવો ઘટાડો થયો છે.