કાશ્મીરમાં કેવી સર્જાઇ દુર્ઘટના ? કેટલા લોકોના મોત થયા ? વાંચો
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં રવિવારે એક વાહન ખીણમાં ખાબકતાં ચાર યાત્રિકોના કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય બે લાપતા થયા હતા અને એમની શોધખોળ શરૂ કરાઇ હતી. પોલીસે જણાવ્યું કે, પદ્દારથી માસુ ગામ તરફ જતી એક કાર દુર્ઘટનાગ્રસ્ત થતાં ખીણમાં ખાબકી હતી.
મૃતકોની ઓળખ રાજ કુમાર, મુકેશ કુમાર, હકીકત સિંહ અને સતીશ કુમાર તરીકે થઈ હતી. આ લોકો ગઢ, પદ્દાર, કિશ્તવાડના રહેવાસી છે.વાહન પરથી ડ્રાઇવરે નિયંત્ર ગુમાવી દેતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. ડ્રાઈવરનું પણ મોત થયું હતું.
કેન્દ્રીય મંત્રી ડો જીતેન્દ્ર સિંહે ટ્વિટર પર આ મામલે એક પોસ્ટ કરી હતી કે “એ જાણીને દુઃખ થયું કે એક કારના ગમખ્વાર અકસ્માતમાં મુસાફરી કરી રહેલા ચાર મુસાફરો ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા. ડ્રાઇવર સહિત અન્ય બે વ્યક્તિઓનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના.”
જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ રહી છે અને વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે માટે હમણાં થોડાક જ દિવસોમાં આવા અકસ્માતોની સંખ્યા વધી ગઈ છે.