ઉત્તરકાશી ટનલ અંગે કોંગ્રેસે કેવો મૂક્યો આરોપ ?
ઉત્તરકાશીના ટનલમાં 41 શ્રમિકો જીવન સામે લડી રહ્યા છે, તો બીજીતરફ આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. છેલ્લા 15 દિવસથી 41 શ્રમિકો ટનલમાં ફસાયા છે, ત્યારે વિપક્ષના નેતા યશપાલ આર્યએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, સરકાર અત્યાર સુધીમાં શ્રમિકોને બહાર કાઢવામાં અસફળ થઈ છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, જે રીતે કામગીરી કરવી જોઈએ, તે હજુ સુધી સંપૂર્ણ દેખાઈ રહી નથી. તેમણે કહ્યું કે, આ ટનલ બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આર્યએ કહ્યું કે, ટનમાં 41 શ્રમિકો ફસાયા હોવાની બાબતને 15 દિવસ વિતી ચુક્યા છે, તેઓ પોતાના જીવનને બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે. આ ઉત્તરાખંડ સરકારની બેદરકારી દર્શાવે છે. યથપાલ આર્યએ આક્ષેપ કરતાં કહ્યું કે, બ્લેક લીસ્ટની યાદીમાં જે કંપની હતી, તેને ટનલ બનાવવાનું કામ અપાયું.
ટનમાં ફસાયેલા શ્રમિકોને એક સપ્તાહ સુધી ખાવા-પીવાની પણ વ્યવસ્થા પુરી ન પડાઈ. સરકાર ભલે મોટી મોટી વાતો કરે, પણ આ મામલે સરકાર સંપૂર્ણ ફેલ ગઈ છે, ટનલ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પોતાના માનીતાઓને કામ આપવા માટે તમામ નિયમોને નેવે મુકાયા છે અને આ જ કારણે હજુ સુધી શ્રમિકોને બહાર કાઢી શકાયા નથી.