શું તમે ક્યારેય વિચાર્યું કે મૃત્યુ પછી તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટનું શું થશે ? જાણો ફોલોઅર્સ અને ફ્રેન્ડ્સનું શું થાય છે ?
હાલ સોશિયલ મીડિયા અકાઉન્ટનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભાગ્યે જ એવા કોઈ વ્યક્તિઓ હશે જેનું સોશિયલ મીડિયામાં અકાઉન્ટ નહીં હોય. વ્હોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, સ્નેપચેટ વગેરેમાં હાલ યુઝર્સના અકાઉન્ટ હોય છે અને તેઓ એક્ટિવ હોય છે. તેમ ઘણા ફોટા અને વીડિયો પણ પ્રકાશિત કરવામાં આવ્યા હશે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે તમારા મૃત્યુ પછી આ અકાઉન્ટનું શું થશે ?? હજારો ફોલોઅર્સ અને વર્ષોની મહેનત ધરાવતું તમારું એકાઉન્ટ તમારા મૃત્યુ પછી બંધ થઈ જાય જશે કે કેમ ? આવા અનેક સવાલોના જવાબ તમને અહીં મળશે. આ ઉપરાંત, તમને મૃત્યુ પછી પણ તમારું એકાઉન્ટ જાળવી રાખવા માટે તમારે શું કરવું પડશે તેની વિગતો મળશે.
મૃત્યુ પછી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટનું શું થાય છે? જો તમારા મનમાં પણ આવો પ્રશ્ન આવે છે, તો અહીં તમને આ પ્રશ્નનો જવાબ મળી જશે. જો તમે નથી ઈચ્છતા કે તમારા મૃત્યુ પછી કોઈ મિત્ર કે પરિવારના સભ્ય તમારા ઈન્સ્ટાગ્રામ અથવા ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ કરે તો આ સેટિંગ કરો. આ પછી, તમારું ઇન્સ્ટાગ્રામ રહેશે પરંતુ તેનું નિયંત્રણ કોઈના હાથમાં રહેશે નહીં. તમારું એકાઉન્ટ કાયમ માટે રિમેમ્બરિંગમાં દેખાશે. દરેક વ્યક્તિ તમારી પ્રોફાઇલની મુલાકાત લઈ શકે છે, ફોટા પર લાઈક અને કોમેન્ટ કરી શકે છે.
મૃત્યુ પછી પણ Instagram Facebook પર કેવી રીતે રાખવું ?
Facebook પર તમને લિગેસિ કોન્ટેક શેર કરવાની તક આપવામાં આવે છે. આ સંપર્ક તમારા મૃત્યુ પછી તમારું એકાઉન્ટ મેનેજ કરી શકે છે. આ માટે તમારે ફેસબુકના લેગસી સેટિંગ્સમાં કોન્ટેક્ટ એડ કરવાનો રહેશે. જ્યા રે ઈન્સ્ટાગ્રામ તમારી પ્રોફાઈલને યાદ રાખવામાં આવે છે. મતલબ કે તમારા મૃત્યુ પછી પણ તમારા ફોટા અને વીડિયો સરળતાથી જોઈ શકાય છે.
જ્યાં સુધી Instagram અસ્તિત્વમાં છે, ત્યાં સુધી તમારી યાદો હંમેશા જીવંત રહેશે. આ એકાઉન્ટ દ્વારા કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરી શકશે નહીં. ફોટો સાથે ચેડાં કરી શકશે નહીં. છેલ્લી પોસ્ટ જેમ છે તેમ બતાવવામાં આવશે. તમે આ એકાઉન્ટ પર બધું જોઈ શકો છો પરંતુ કોઈને પણ આ એકાઉન્ટ મેનેજ કરવાનો અધિકાર નથી. આનું પ્રત્યક્ષ ઉદાહરણ એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને પ્રખ્યાત ટીવી સિરિયલ સેલિબ્રિટી સિદ્ધાર્થ શુક્લાનું એકાઉન્ટ છે.
એકાઉન્ટ ધારકને યાદ રાખવું
રતન ટાટાનું તાજેતરમાં નિધન થયું છે, હાલમાં ઇન્સ્ટાગ્રામે તેમનું એકાઉન્ટ રિમેમ્બરિંગમાં માટે ઉમેર્યું નથી, એવી સંભાવના છે કે તેમના એકાઉન્ટમાં રિમેમ્બરિંગમાં જોડવામાં આવે. કોઈ પણ વ્યક્તિ તેના ખાતા સાથે છેડછાડ કરી શકશે નહીં. આ સિવાય સુશાંત સિંહ રાજપૂત અને સિદ્ધાર્થ શુક્લા, પ્રત્યુષા બેનર્જી જેવી અન્ય જાણીતી હસ્તીઓના એકાઉન્ટ ક્યારેય ડિલીટ કરવામાં આવશે નહીં. તમે હંમેશા તેમને જોઈ શકો છો.
સામાન્ય વપરાશકર્તા ખાતું
જો તમે કોઈ પ્રખ્યાત વ્યક્તિત્વ ન હોવ તો પણ તમારું એકાઉન્ટ રિમેમ્બરિંગમાં રાખવામાં આવી શકે છે. આ માટે, તમારી નજીકની કોઈપણ વ્યક્તિ તમારા મૃત્યુ પછી Instagram પર તમારા મૃત્યુની રિપોર્ટ મોકલીને તમારા એકાઉન્ટને કાયમ માટે જીવંત રાખી શકે છે.
મેમોરિયલાઇઝિંગ એકાઉન્ટ માટે વિનંતી કેવી રીતે મોકલવી
જો તમે એવું એકાઉન્ટ જોશો કે જેના માલિક હવે નથી પરંતુ તેમનું એકાઉન્ટ સક્રિય છે, તો તમે તેની જાતે ઇન્સ્ટાગ્રામ પર પણ જાણ કરી શકો છો. આ માટે તમારે ફક્ત Instagram નો સંપર્ક કરવો પડશે, આ માટે તમારે તે વ્યક્તિના જન્મ પ્રમાણપત્ર અને મૃત્યુ પ્રમાણપત્રની જરૂર પડશે. આ સિવાય તમે રિપોર્ટમાં તેમના મૃત્યુ સાથે જોડાયેલા સમાચાર અને લેખ પણ ઉમેરી શકો છો.