Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન : લાંબી બીમારી બાદ દિલ્હીની હૉસ્પિટલમાં 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Tue, August 5 2025

જમ્મુ-કાશ્મીર સહિત બિહાર, ઓડિશા, ગોવા અને મેઘાલય જેવા રાજ્યોમાં ગવર્નર તરીકે સેવા આપનાર પીઢ રાજકારણી સત્યપાલ મલિકનું મંગળવારે 79 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી કિડની સંબંધિત બીમારીથી પીડાતા હતા અને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગવર્નર તરીકેની તેમની કારકિર્દી દરમિયાન તેઓ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવા અને પુલવામા આતંકવાદી હુમલા જેવી મહત્વની ઘટનાઓના સાક્ષી રહ્યા હતા. નિવૃત્તિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર પર સ્ફોટક આક્ષેપો કરીને તેઓ રાજકીય ગલિયારામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

wikipedia


સત્યપાલ મલિકનો જન્મ ઉત્તર પ્રદેશના બાઘપતમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી. 1974માં તેઓ ચૌધરી ચરણસિંહની ભારતીય ક્રાંતિ દળના ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે રાજ્યસભા સાંસદ તરીકે અને અલીગઢથી જનતા દળના લોકસભા સાંસદ તરીકે પણ સેવા આપી હતી. તેમની રાજકીય સફર દરમિયાન તેમણે કોંગ્રેસ, લોક દળ અને સમાજવાદી પાર્ટી સહિત વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાણ કર્યું હતું. 2017માં તેમને બિહારના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, અને ત્યારબાદ તેમને ઓડિશાનો વધારાનો હવાલો સોંપાયો. 2018માં તેઓ જમ્મુ-કાશ્મીરના ગવર્નર બન્યા હતા. 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું ત્યારે મલિક ગવર્નર હતા. આ ઉપરાંત જેમાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા તે 2019ના પુલવામા આતંકવાદી હુમલા દરમિયાન તેમણે ગવર્નર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેમણે ગોવા અને મેઘાલયના ગવર્નર તરીકે પણ સેવા આપી હતી.

આ પણ વાંચો : દરિયામાં 31 હજાર ફૂટની ઊંડાઈએ જીવન જોઈ વિજ્ઞાનીઓ ચકિત, ટાઈટેનિકના કાટમાળથી પણ વધુ ઊંડાઈ

સરકાર પર આક્ષેપો અને વિવાદો

2020-21 દરમિયાન સત્યપાલ મલિકે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન આપતા ભાજપ સરકાર સાથે તેમના સંબંધોમાં કટુતા આવી હતી. જમ્મુ કાશ્મીરના ગવર્નર હતા ત્યારે તેમણે કથિત રીતે આરએસએસના નેતાને સંડોવતા 300 કરોડના કથિત કૌભાંડ અંગે આક્ષેપો કર્યા હતાં 2023માં એક ઇન્ટરવ્યૂમાં તેમણે પુલવામા હુમલાને લઈને સૌથી સ્ફોટક આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પુલવામા હુમલો સરકારની નિષ્ફળતાને કારણે થયો હતો અને કેન્દ્રએ તેમને આ મુદ્દે ચૂપ રહેવા કહ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિમાન દ્વારા જવાનોની મુસાફરીની સીઆરપીએફની માંગણીને નકારી દેવામાં આવી હતી, જેના કારણે જવાનોને રસ્તા માર્ગે મુસાફરી કરવી પડી હતી અને આતંકવાદીઓએ તેમના કાફલા પર હુમલો કર્યો હતો. મલિકના આ આક્ષેપો તેમને વિપક્ષની નજીક લાવ્યા હતા. 2023માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમનો ઇન્ટરવ્યૂ લીધો હતો જેમાં મલિકે પોતાના આક્ષેપોને વધુ મજબૂતીથી રજૂ કર્યા હતા.

Tags:

GovernorSatyapal-MalikSatyapal-Malik-Death

Share Article

Other Articles

Previous

કંપાવી દેનારા ઉત્તરાખંડના દ્રશ્યો : 34 સેકેન્ડમાં હોટલ-ઘર તણખલાંની જેમ તણાયાં, વિડીયોમાં જુઓ ધરાલીના અત્યંત ભયાવહ દ્રશ્યો

Next

War 2 : વોર 2′ રિલીઝ થાય તે પહેલા જુનિયર NTRએ ઋત્વિકને આપી વોર્નિંગ, એકટરે આપ્યો કરારો જવાબ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ : બે વર્ષમાં રોડ-રસ્તા પાછળ અધધ ૩૦૦ કરોડનું આંધણ !!
ગુજરાત
2 વર્ષ પહેલા
એડવાન્સ પેમેન્ટ પર જીએસટી લાગી શકે, ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો પણ થઈ શકે
નેશનલ
1 વર્ષ પહેલા
બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલેદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન: અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે વિદેશ મંત્રી જયશંકર
ઇન્ટરનેશનલ
3 મહિના પહેલા
રાજસ્થાન ફરવા ગયેલા સોની પરિવારના બંધ મકાનમાં 75 હજારની ચોરી
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર