આસો નવરાત્રિના પ્રથમ નોરતે સવારે કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પરંપરાગત પદયાત્રા યોજાઈ હતી. શ્રી નરેશભાઈ પટેલની આગેવાનીમાં યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને મા ખોડલના ગુણગાન ગાતા ગાતા ખોડલધામ મંદિરે પહોંચીને ધ્વજારોહણ કરીને મા ખોડલના આશીર્વાદ લઈ નવલા નોરતાનો પ્રારંભ કર્યો હતો.

આજ થી માતાજીના નવલા નોરતા નો પ્રારંભ થયો છે.નવરાત્રીનો પ્રારંભ થતા સવકોઈ માતાજી ની આરાધના કરી રહ્યા છે.ત્યારે આજ રોજ સૌરાષ્ટ્રના લોકો ની આસ્થા નું પ્રતીક એવા ખોડલધામ મંદિર સુધી 15 મી પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તો ઉત્સાહ ભેર જોડાયા હતા.આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ખોડલધામ સમિતિ દ્વારા રાસ ગરબા નું પણ આયોજન કરવામાં આવે છે.

છેલ્લાં 15 વર્ષ થી નવરાત્રી દરમિયાન કાગવડ ગામ ખાતે થી ખોડલધામ મંદિર સુધી પદયાત્રાનું આયોજન થાય છે.આ વર્ષે પણ મા ના ભક્તો દ્વારા ભક્તિભાવ સાથે પદયાત્રામાં જોડાઈ મા ના શુભ આશિષ મેળવ્યા હતા.