Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહોમ

ઝાંસીની મેડિકલ કોલેજમાં અગ્નિકાંડ : ફાયરસેફટીના સાધનો બન્યા શોભાના ગાંઠિયા સમાન, 10 નવજાત શિશુના મોત માટે જવાબદાર કોણ ??

Sat, November 16 2024

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં શુક્રવારે રાત્રે સરકારી હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 નવજાત શિશુઓના મૃત્યુ નીપજવાની ઘટનામાં માનવસર્જિત બેદરકારી

હોવાની આશંકર વ્યક્ત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હોસ્પિટલના ફાયર સેફ્ટીના સાધનોની આવડતા પૂરી થઈ ગઈ હતી અને સેફટી એલાન પણ વાગ્યું નહોતું.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મેડિકલ હોસ્પિટલમાંશુક્રવારે રાત્રે 10:30 વાગ્યે બાળકો માટેના આઇસીયુમાં

આગ ફાટી નીકળતા 10 નવજાત શિશુઓના મૃત્યુ થયા હતા. હજુ 16 બાળકો મૃત્યુ સામે ઝઝુમી રહ્યા છે. ઘટના બની ત્યારે હોસ્પિટલમાં 50 બાળકો હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાના સાક્ષીઓના જણાવ્યા અનુસાર રાત્રે 10.30 વાગ્યે આઇસીયુમાં અચાનક ધુમાડો છવાઈ ગયો હતો

અને બાદમાં એક વિસ્ફોટ સાથે આગ ફેલાઈ ગઈ હતી. આ ઘટના બનતા વોર્ડમાં રહેલા બાળકોના પરિવારજનો આઈસીયુ માં દોડ્યા ગયા હતા અને બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.  ઘટનાની ૨૦ મિનિટ બાદ ફાયર ફાઈટર પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ દરમિયાન 10 નવજાત શિશુઓનો ભોગ લેવાઈ ગયો હતો.

આ ઘટનાને પગલે હોસ્પિટલમાં અત્યંત કરુણ દ્રશ્યો સર્જાયા હતા. બાળકોના વાલીઓ અને પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી વાતાવરણ હૃદય દ્રાવક બન્યું હતું. જે 10 બાળકો મૃત્યુ પામ્યા તેમાંથી સાતની ઓળખ થઈ ગઈ હોવાનું સત્તાવાળાઓએ જાહેર કર્યું હતું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ

આગ લાગવાના કારણે તપાસ કરવા આદેશ આપ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારે મૃતકો માટે પાંચ લાખ તેમજ ઘાયેલો માટે 50 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ મૃતકો માટે બે લાખ અને ઘાયલો માટે 50000ની સહાયની ઘોષણા કરી હતી. વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિએ માર્યા ગયેલા અને ઘાયલ થયેલા બાળકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ઘેરો દુઃખ વ્યક્ત કર્યું હતું.

બાળકોના પરિવારજનો દ્વારા દેખાવ

આગની ઘટનામાં ઘાયલ થયેલા બાળકોને મળવા ન દેવામાં આવતા તેમના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને વાલીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા. આ ઘટના માનવસર્જિત બેદરકારીને કારણે બની હોવાના આક્ષેપ સાથે અન્ય લોકોએ પણ હોસ્પિટલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના નેતાઓએ હોસ્પિટલની બેદરકારીને કારણભૂત ગણાવી યોગી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.

વિસ્ફોટ સાથે વિકરાળ આગ બચાવવાનો સમય જ ન રહ્યો

ઘટના સમય ઉપસ્થિત બાળકોના વાલીઓના જણાવ્યા અનુસાર એક વિસ્ફોટનો અવાજ આવ્યો હતો અને કોઈ કાંઈ સમજે તે પહેલા આઇસીયુ વિકરાલ આગમાં લપેટાઈ ગયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓક્સિજન કોન્સનટ્રેટરમાં સ્પાર્ક થયા બાદ

વિસ્ફોટ થયો હતો. બીજી તરફ ઘટના સમયે વોર્ડમાં ઉપસ્થિત એક શખ્સે ઓક્સિજન સિલિન્ડર સાથે પાઇપ જોડતી વેળાએ એક નર્સે દીવાસળી સળગાવતા આગ ફાટી નીકળી હોવાનો આક્ષેપ કર્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર આઈસીયુ બે ભાગમાં વહેંચાયેલું છે. તેમાં અંદરના ભાગમાં ક્રિટિકલ કેર યુનિટમાં આવા જવાનો એક જ રસ્તો હોવાને કારણે બાળકોને બચાવી શકાય નહોતા.બીજી તરફ હોસ્પિટલના અગ્નિશામક સાધનો એક્સપાયર્ડ થઈ ગયા હોવાને કારણે બુઠ્ઠા સાબિત થયા હતા. આગની ચેતવણી આપતા ફાયર એલાર્મ પણ કામ કરતા ન હોવાને કારણે બચાવ કાર્યમાં વિલંબ થયો હતો. ફાયર એલાર્મ વાગ્યું હોત તો કેટલાક બાળકોને બચાવી શકાય હોત તેવો મત અનેક વાલીઓએ વ્યક્ત કર્યો હતો.

ફેબ્રુઆરીમાં ફાયર સેફટી ઓડિટ થયું હતું: નાયબ મુખ્યમંત્રીનો દાવો

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનો હોદ્દો પણ ધરાવતા બ્રજેશ પાઠક ઘટના બાદ હોસ્પિટલે પહોંચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી મહિનામાં ફાયર સેફટી ઓડિટ કરવામાં આવ્યું હતું. જૂન મહિનામાં મોક ડ્રીલ પણ કરવામાં આવી હતી. તેમ છતાં આગ કઈ રીતે લાગી તે અંગે આઘાત અને આચાર્ય વ્યક્ત કરી તેમણે તપાસ નો અહેવાલ આવે ત્યાં સુધી પ્રતીક્ષા કરવા સૌને જણાવ્યું હતું. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.

તબીબો અને પેરામેડિકલ સ્ટાફે બચાવવાની કોશિશ ન કરી

આગમાં 10 બાળકોના મૃત્યુની ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ બાળકોના વાલીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. આગ લાગી ત્યારે બાળકોને બચાવવાને બદલે તબીબો અને મેડિકલ સ્ટાફ સૌથી પહેલા ભાગી ગયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં એક પણ તબીબ કે હોસ્પિટલના બીજા કોઈ કર્મચારી ઘાયલ થયા નથી.

Share Article

Other Articles

Previous

૨૭ વર્ષના જેક પૉલે માઈક ટાયસનને હંફાવી જીત્યા ૩૩૭ કરોડ : ટાયસને ૫૮ વર્ષની ઉંમરે પણ બતાવી ગજબ સ્ફૂર્તિ

Next

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી : ૮૦ કરોડની ચાંદી ભરેલો ટ્રક પકડી પાડ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
12 કલાક પહેલા
કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
12 કલાક પહેલા
મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
13 કલાક પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
13 કલાક પહેલા
Categories

નેશનલ

2501 Posts

Related Posts

ખેડૂત આંદોલન : શું થયું બીજા દિવસે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદી કયા દેશની યાત્રા રદ કરી શકે છે ? વાંચો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં કોંગ્રેસ કોર્પોરેટરોને પ્રવેશ આપવાનો ઈનકાર કરાતા વશરામ સાગઠીયાએ કાયદાકીય કાર્યવાહી કરવાની જાહેરાત કરી : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર તૂટ્યું : સેન્સેક્સ 900 પોઇન્ટના કડાકા સાથે 73,715ની સપાટીએ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર