ખેડૂત આંદોલન: આજે ગ્રામ્ય ભારત બંધનું એલાન: રેલવે ટ્રેક જામ કર્યા
ખેડૂત આંદોલન ગુરુવારે ત્રીજા દિવસે વધુ ઉગ્ર બન્યું હતું અને પંજાબમાં ૧૦ સ્થળે રેલવે ટ્રેક જામ કરી દેવાયા હતા. દરમિયાનમાં શુક્રવારે એટલે કે આજે સંયુક્ત કિસાન મોરચાએ ગ્રામ્ય ભારત બંધનું એલાન આપ્યું હતું. સવારે ૬થી બપોર બાદ ૪ વાગ્યા પછી બંધ રાખવાની અપીલ કરી હતી. ગ્રામ્ય ભારત બંધ દરમિયાન પરિવહન, કૃષિ, ખાનગી ઓફિસો અને ગ્રામ્ય દુકાનો બંધ રહેશે. એજ રીતે ઔદ્યોગિક પ્રવૃતિ પણ બંધ રખાવવામાં આવશે. જો કે મેડિકલ સ્ટોર, અખબાર વિતરણ, એમ્બ્યુલન્સ સેવાને મુક્તિ આપવામાં આવી છે. એજ રીતે પરીક્ષા માટે જતાં વિદ્યાર્થીઓને કોઈ અસર પહોંચાડવામાં આવશે નહિ.