આતંકી રાણાને દાઉદ સાથે કનેક્શન છે કે નહીં, મુંબઈ હુમલામાં દાઉદનો હાથ ? NIA કરશે તપાસ
મુંબઈ પરના આતંકી હુમલા અંગે આતંકી રાણાની એનઆઈએ દ્વારા પૂછતાછ થઈ રહી છે અને દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે એનઆઈએ એ હકીકત પણ જાણવાનો પ્રયાસ કરશે કે મુંબઈ પરના હુમલામાં માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમનો કોઈ હાથ છે કે નહીં.
હુમલાના કાવતરામાં દાઉદ કનેક્શન અંગે પણ રાણાને સવાલ કરવાની તૈયારી કરાઇ છે. ડી કંપની સાથે રાણાના નેટવર્કની કોઈ સાંઠગાંઠ છે કે કેમ તે બારામાં તપાસ આગળ ચલાવવામાં આવશે. રાણા આ સવાલોના જવાબમાં શું કહે છે તેના તરફ અધિકારીઓની નજર છે.
પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથેની સાંઠગાંઠ અંગે રાણાને સવાલ કરાઈ રહ્યા છે ત્યારે તેમાં દાઉદ કનેક્શનની પણ તપાસ થઈ રહી છે અને તે મહત્વની તપાસ છે તેમ અધિકારીઓ માને છે.