દેશમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સામાન્યથી ઓછો વરસાદ રહી શકે
દેશ છેલ્લા દાયકામાં સૌથી મુશ્કેલ ચોમાસાનો સામનો કરી રહ્યો છે. દેશભરમાં પ્રચંડ ગરમીના કારણે કૃષિ, પાવર ગ્રીડ અને જનતા પર પહેલાથી જ ભારે અસર પડી છે. હવે ભારતીય હવામાન વિભાગએ એ ભયની પુષ્ટિ કરી છે કે લોકો અને સરકાર ગભરાઈ રહ્યા છે. પેસિફિક મહાસાગરમાં, અલ નીનો સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાનું જોખમ છે.
અહેવાલમાં જે આંકડા અપાયા છે તે ખરેખર ચિંતાજનક છે. IMD એ આ વરસાદની ઋતુ માટે લાંબા ગાળાના સરેરાશ (LPA) ના 90% નિર્ધારિત કર્યા છે. 1 જૂનથી 16 જૂન વચ્ચે વરસાદમાં સામાન્ય કરતા 35% ઘટાડો જોવા મળ્યો છે. હજુ પણ અનેક રાજ્યોમાં વરસાદનો છાંટો પણ પડ્યો નથી.
ફાઇનાન્સિયલ એક્સપ્રેસ અનુસાર, કૃષિ મંત્રાલયે એક ડઝન રાજ્યોની ઓળખ કરી છે જ્યાં આ અછતની સૌથી વધુ અસર થશે. ડેટા અનુસાર, ભારતમાં આજે પણ લગભગ 46% કૃષિ ક્ષેત્ર વરસાદ પર આધારિત છે. તેથી, આ પરિસ્થિતિને હળવાશથી લઈ શકાય નહીં.
આ પણ વાંચો: મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પરની શંકા વધુ પ્રબળ બની
ભારત હવે ચોમાસાની ચિંતાઓથી દૂર થઈ ગયું છે, તે વાત અત્યારે હકારાત્મક લગતી નથી. કારણ કે GDP માં કૃષિનો હિસ્સો ઘટીને લગભગ 14-16% થઈ ગયો છે. પરંતુ વાસ્તવિક વિરોધાભાસ અહીં છે. દેશની લગભગ અડધી વસ્તી હજુ પણ તે ક્ષેત્ર પર નિર્ભર છે, જે રાષ્ટ્રીય ઉત્પાદનના માત્ર છઠ્ઠા ભાગનું ઉત્પાદન કરે છે. આ જ કારણ છે કે જ્યારે ચોમાસું ખરાબ હોય છે, ત્યારે ગ્રામીણ આવક અને ગ્રાહક ભાવનાને GDP ના આંકડા કરતાં વધુ નુકસાન થાય છે.
મુંબઈના કેટલાક ભાગોમાં હળવો વરસાદ: ઉત્તરના રાજ્યોમાં હિટવેવની આગાહી
મહારાષ્ટ્રમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ધીમી ગતિ વચ્ચે, રવિવારે સવારે મુંબઈના ઘણા ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ નોંધાયો હતો, જેના કારણે લોકોને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ગરમી અને ભેજથી થોડી રાહત મળી હતી. હવામાન વિભાગે રાજ્યના અન્ય ભાગોમાં ચોમાસાને આગળ વધારવા માટે અનુકૂળ પરિસ્થિતિઓની પણ આગાહી કરી છે. જ્યારે ઉત્તરનાન કેટલાક રાજ્યોમાં હિટવેવનું એલર્ટ આપ્યું હતું.
