બેંગલુરૂ નાસભાગ કેસ : RCB વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ, FIRમાં બેદરકારીનો ઉલ્લેખ, મૃતકોના પરિજનોને 10 લાખનું વળતર આપશે RCB
18 વર્ષ બાદ IPLમાં RCBની જીત થઈ. સમગ્ર ભારત RCBની જીતનો જશ્ન મનાવી રહ્યું હતું. ફેન્સનો ઉત્સાહ સાતમા આસમાને હતો. 3 જૂને અમદાવાદમાં જીત બાદ બીજા દિવસે એટલે કે 4જૂનના રોજ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે વિજય પરેડ યોજવવાની હતી. ત્યારે બેંગ્લોરમાં જીતનો જશ્ન માતમમાં ફેરવાઇ ગયો હતો. સ્ટેડિયમની બહાર નાસભાગ મચતા 11 લોકોના મોત નિપજ્યાં હતા. ત્યારે આ મામલે RCB ફ્રેન્ચાઇઝી, DNA એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક્સ અને KSCA એડમિનિસ્ટ્રેટિવ કમિટી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

FIRમાં ભાગદોડની ઘટનામાં ગુનાહિત બેદરકારીનો ઉલ્લેખ
સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં ભાગદોડની ઘટનામાં ગુનાહિત બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વહેલી સવારે, કર્ણાટક હાઇકોર્ટે રાજ્ય સરકારને ક્રિકેટ સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આ મામલાની નોંધ લીધા પછી, રાજ્યને નોટિસ જારી કરી અને 10 જૂન સુધીમાં વિગતવાર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનું કામ સોંપ્યું છે.
આ પણ વાંચો : રશિયા પરના યુક્રેનના હુમલાને શા માટે કહેવાય છે પર્લ હાર્બર મોમેન્ટ? જાણો ઇતિહાસ
બેંગલુરૂ નાસભાગ મામલે કર્ણાટક હાઈકોર્ટમાં થઈ સુનાવણી
બેંગલુરૂ નાસભાગ મામલે ગુરૂવારે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન એક્ટિંગ ચીફ જસ્ટિસ વી કામેશ્વર રાવ અને જસ્ટિસ સીએમ જોશી બેન્ચે રાજ્ય સરકારને દુર્ઘટના પર રિપોર્ટ રજૂ કરવાની નોટિસ આપી છે. હવે આગામી સુનાવણી 10 જૂને થશે. રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે, ‘નાસભાગ બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી. વિક્ટરી પરેડ દરમિયાન 1380 પોલીસ કર્મચારી તૈનાત હતા.’

RCB એ 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી
કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વી કામેશ્વર રાવ અને ન્યાયાધીશ સી એમ જોશીની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે કોર્ટ રજિસ્ટ્રીને આ મામલાને સુઓ મોટો જાહેર હિતની અરજી તરીકે ગણવાનો નિર્દેશ આપ્યો હતો. RCB એ 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભીડના દુ:ખદ ઉછાળામાં મૃત્યુ પામેલા 11 ચાહકોમાંથી દરેકના પરિવારને 10 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવાનું વચન આપ્યું છે.

એક નિવેદનમાં, ટીમે આ ઘટનામાં ઘાયલ થયેલા 47 વ્યક્તિઓને સહાય કરવા માટે એક રાહત પહેલ, RCB કેર્સ શરૂ કરવાની પણ જાહેરાત કરી. ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું હતું કે, “ગઈકાલે બેંગલુરુમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ RCB પરિવારને ખૂબ જ દુઃખ અને પીડા આપી છે.” “આદર અને એકતાના સંકેત તરીકે, RCB એ મૃતકોના 11 પરિવારોમાંથી દરેકને ₹10 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત, આ દુ:ખદ ઘટનામાં ઘાયલ થયેલા ચાહકોને સહાય કરવા માટે RCB કેર્સ નામનું એક ભંડોળ પણ બનાવવામાં આવી રહ્યું છે.”