Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

દિલ્હી લીકર પોલીસી કેસમાં આજે કેજરીવાલની ધરપકડ?

Thu, November 2 2023

આમ આદમી પાર્ટીના નેતાઓએ ભય વ્યક્ત કર્યો

ઇડીની આજની કાર્યવાહી પર મંડાઈ બધાની મીટ

દિલ્હી લીકર પોલિસી કેસમાં ઇડી આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ કદાચ ધરપકડ કરી શકે છે તેવી આશંકા આમ આદમી પાર્ટીના નેતાઓએ વ્યક્ત કરી છે. સોમવારે સર્વોચ્ચ અદાલતે એ કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી નકારી કાઢી તેના થોડા કલાકો બાદ જ ઇડીએ અરવિંદ કેજરીવાલને બીજી નવેમ્બરે સવારે 11:00 વાગે કાર્યાલયમાં ઉપસ્થિત રહેવા સમન્સ મોકલ્યું હતું. નોંધનીય છે કે આ જ કેસમાં મનીષ સિસોદિયા ઉપરાંત આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ ની પણ ધરપકડ થઈ ચૂકી છે. જામીન અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે મનીષ સિસોદિયા સામે પ્રથમ દર્શિય કેસ હોવાના નિર્દેશ આપ્યા બાદ આજે થનારી ઇડીની કાર્યવાહી પર બધાની નજર રહેશે.

અરવિંદ કેજરીવાલને સમન્સ મળ્યા બાદ સોમવારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી આતિશી માર્લેનાએ કેજરીવાલની પણ ધરપકડ થવાની આશંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચૂંટણીમાં કેજરીવાલને ન હરાવી શકવાને કારણે ભાજપ હવે ‘ આપ ‘ ના નેતાઓની ધરપકડ કરી અને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. તેમણે ઉમેર્યું કે જો બીજી નવેમ્બરે કેજરીવાલની ધરપકડ થશે તો એ ભ્રષ્ટાચારને કારણે નહીં પણ તેઓ ભાજપ વિરુદ્ધ બોલે છે એટલા માટે થઈ હશે.
આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ સૌરભ ભારદ્વાજ અને ગોપાલ રાયે પણ આવી જ આશંકા વ્યક્તિ હતી. ભારદ્વાજે કહ્યું કે ભાજપે આમ આદમી પાર્ટી ને તોડવા માટે 170 કેસ કર્યા છે. અને હવે કદાચ કેજરીવાલ નો વારો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ઇડીએ પ્રથમ વખત અરવિંદ કેજરીવાલને સમજ પાઠવ્યો છે.

એપ્રિલ મહિનામાં પણ આવી જ આશંકા વ્યક્ત થઇ હતી

એપ્રિલ માસમાં સીબીઆઇએ સમન્સ પાઠવી કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. એ સમયે કેજરીવાલે વિડિયો જારી કરી અને જો ભાજપે આદેશ આપ્યો હશે તો પોતાની ધરપકડ થશે તેવો ભય દર્શાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સીબીઆઇ ખૂબ શક્તિશાળી છે,ગમે તેને જેલમાં નાખી શકે છે અને જો ભાજપે આદેશ કર્યો હશે તો સીબીઆઇ ચોક્કસપણે તેનું પાલન કરશે. કેજરીવાલ જ્યારે સીબીઆઇની કચેરીએ ગયા ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવાન તેમની સાથે રહ્યા હતા અને આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરોએ દિલ્હીમાં દેખાવ કર્યા હતા. જોકે સીબીઆઇએ કેજરીવાલને આરોપી તરીકે નહીં પરંતુ સાક્ષી દરજ્જે બોલાવ્યા હતા.

ભાજપ હવે આ નેતાઓને પણ જેલમાં નાખશે: આતીશી

અતિશીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા ‘ ના અનેક નેતાઓની ધરપકડ થઈ શકે છે. તેમણે કહ્યું કે સીબીઆઇ અને ઇડી નો ઉપયોગ કરી ભાજપ હવે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન તેમજ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવની ધરપકડ કરાવશે. કેરાળના મુખ્યમંત્રી પીનારાયી વિજયન અને તામિલનાડુના મુખ્યમંત્રી એમકેએસ તાલીમ પણ ભાજપના નિશાન ઉપર હોવાનું તેમણે જણાવ્યું હતું.

કેમ જાગે છે ધરપકડની આશંકા?

મનીષ સિસોદિયાની જામીન અરજી રદ થયા બાદ દિલ્હીના ભાજપના સાંસદ મનોજ તિવારીએ હવે અરવિંદ કેજરીવાલ નો વારો હોવાનું જણાવ્યું હતું. એ પહેલા સંજય સિંહની ધરપકડ થઈ ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે,” મુખિયા હજુ બહાર છે. તેનો પણ નંબર આવશે. તપાસ ચાલુ છે” દિલ્હી ભાજપના પ્રમુખ વિરેન સચદવે પણ સંજય સિંહ પછી અરવિંદ કેજરીવાલ પણ જેલમાં જશે તેવી અગમવાણી ઉચ્ચારી હતી. ગૌરવ ભાટિયા અને સંબીત પાત્રા જેવા ભાજપના પ્રવક્તાઓએ પણ એ જ હેતુના નિર્દેશ આપ્યા હતા.

આટલા ધારાસભ્યોની ધરપકડ થઈ છે

બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા તેમજ ઝારખંડના મુખ્યમંત્રી મધુ કોડાની તેમના કાર્યકાળ દરમિયાન જ ધરપકડ થઈ હતી. એ ઉપરાંત હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા અને તેમના પુત્ર અજય ચોટાલા, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદુયેરપ્પા, તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિ તથા તાજેતરમાં આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ધરપકડ થઈ હતી. આંધ્રના વર્તમાન મુખ્યમંત્રી જગન રેડી ની પણ તેઓ મુખ્યમંત્રી બન્યા તે પહેલા 27 મે 2012 ના રોજ ધરપકડ થઈ હતી અને દોઢ વર્ષ સુધી તેઓ જેલમાં રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

માલધારીઓ ૪-૪ હજાર દંડ ભરી ૧૫ ઢોર છોડાવી ગયા

Next

એર લાઈન્સે ગોટે ચડાવ્યા ! ૪ નવી ફ્લાઈટ આપી તો દીધી, બુકિંગ જ શરૂ નથી કર્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
સિરામિક ગ્રુપ પર ITના દરોડા : 3 કરોડની રોકડ મળી, રાજકોટ-મોરબીમાં લેવીસ,મેટ્રો ગ્રુપ પર ઇન્વેટીગેશન વીંગનું મોટું ઓપરેશન
11 મિનિટutes પહેલા
નમો સ્ટેડિયમમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ: વિશ્વના 75 દેશોમાં 7500થી વધુ રકતદાન કેમ્પનું આયોજન, અભિનેતા વિવેક ઓબરોયે કર્યું બ્લડ ડોનેટ
38 મિનિટutes પહેલા
PM મોદીનો આજે 75મો જન્મદિવસ : આવાસ યોજના અને સારવારથી લઈને પેન્શન સુધી, આ 10 યોજનાઓથી બદલાયું સામાન્ય માણસનું જીવન
1 કલાક પહેલા
પાકિસ્તાનમાં શાહબાઝ શરીફે બેઈમાનીથી ચૂંટણી જીતી, ચૂંટણીમાં ભયંકર ગોટાળા થયા, તપાસનો અહેવાલ દબાવી દેવાયો, ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ પોર્ટલનો ધડાકો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2504 Posts

Related Posts

મોરબીરોડ ઉપર નામચીન ઇભલાની ઘોડીપાસાની જુગાર ક્લબ ઉપર દરોડો
રાજકોટ
2 વર્ષ પહેલા
તાપમાનમાં વધારો છતાં ઠંડીનું જોર યથાવત
રાજકોટ
9 મહિના પહેલા
ભાગેડુ કૌભાંડી મેહુલ ચોકસીને લાવવા માટે કાયદાકીય વિધિ કરવા ટૂંક સમયમાં ભારતીય અધિકારીઓની ટુકડી બેલ્જિયમ પહોંચશે
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
ભારે વરસાદે કયા રાજ્યોમાં વેર્યો વિનાશ ; કેટલા મોત ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર