કાશ્મીરમાં સેનાએ ત્રણ આતંકીને ઠાર કર્યા
જમ્મુ કાશ્મીરના અખનુરમાં એલઓસી નજીક ભારતીય સેનાના કાફલા પર સવારે આતંકવાદીઓ દ્વારા અંધાંધૂધ ગોળીબાર કરવામાં આવ્યા પછી અહીંના વિસ્તારમાં તંગદિલી વ્યાપી હતી. . જોકે, સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
કાશ્મીરમાં વધતી આતંકવાદી પ્રવૃત્તિની ગંભીરતાને ધ્યાનમાં લઈને જમ્મુ કાશ્મીર પોલીસ, ભારતીય આર્મી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રાથમિક માહિતીમાં અમુક આતંકવાદીઓ મંદિરમાં ઘૂસીને મૂર્તિને ખંડિત કરી હતી, પરંતુ ત્યાંના લોકોને કોઈ નુકસાન પહોંચાડ્યું નહોતું. ત્યાંથી ભાગતી વખતે આતંકવાદીઓએ એમ્બુયલન્સ પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં આર્મીએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલા મુદ્દે જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું કે જમ્મુ જિલ્લાના અખનુરના અસ્સાન સ્થિત મંદિર નજીક ત્રણ આતંકવાદી જોવા મળ્યા હતા.