રાજકોટમાં વધુ એક હ*ત્યાની ઘટના : અમદાવાદની નર્સને પાડોશીએ મધરાત્રે છરીના ઘા ઝીંક્યા, વાંચો શું છે સમગ્ર મામલો
રાજકોટમાં ભાડાના મકાનમાં એકલી રહેતી અમદાવાઠના ઠસકોઈના કુહા ગામની વતની નર્સની ગત મધરાત્રે ઘરમાં પૂસી પાડોશી શખસે છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાની ઘટના યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઈ છે. હુમલો કરીને આરોપી પાછો ઘરમાં ઘૂસી જતાં પકડીને પૂરી દેવાયો હતો. પોલીસ આવતા સકંજામાં લીધો હતો. આરોધી માનસિક વિકૃત હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે. મધરાત્રે ઘરમાં જઈને હત્યા કરવાનો ઈરાદો શું તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસના સૂત્રોમાંથી જાણવા મળેલી પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના કહા ગામની ચૌલાબેન ત્રિભોવનદાસ પટેલ (ઉ.વ.52) નામની મહિલા અમદાવાદ શાહીબાગ સિવિલ હોસ્પિટલમાં કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં 24 વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવતા હતા. ચાર માસ પહેલાં તેઓ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે બદલી થતાં અહીં રાજકોટમાં રહેવા આવી ગયા હતા. રાજકોટમાં યુનિવર્સિટી પર આયુર્વેદિક હોસ્પિટલ પાસે શેરીમાં આવેલી ઋષિકેશ સોસાયટી શેરી નં.રમાં પિયુષભાઈના બે મજલાના મકાનમાં ઉપલા મજલે ભાડે રહેતા હતા.
મહિલાના મકાનના પાછળના ભાગે જ આવેલા મકાનમાં આરોપી કાનજી ભીમાભાઈ વાજા (ઉ.વ.34) રહેતો હતો. જૂનાગઢના સિહજ ગામના સિંધાજ મેઈન બજારનો વતની કાનજી અહીં છૂટક કડિયા કામ મજૂરી કરતો હતો. ગઈકાલે મધરાત્રે બાદ આરોપી નર્સ જે મકાનમાં ભાડે રહેતા હતા ત્યાં ઘૂસ્યો હતો. ઉપરના મજલે નર્સના મકાનમાં પ્રવેશ્યો હતો. પોણા વાગ્યાના અરસામાં મહિલા સાથે માથાકૂટ કરી ઝાપઝપી કરી હતી. છરી વડે મહિલાના છાતીના ભાગે, ડાબા હાથના ભાગે, હથેળી સહિતની જગ્યાએ છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલો થતાં મહિલાએ ચીસાચીસ, દેકારો કરતાં નીચેના મજલે રહેતું મકાન માલિક દંપત્તી દોડી આવ્યું હતું. હુમલાખોર કાનજી ભાગીને પોતાના મકાનમાં છૂપાઈ ગયો હતો. મકાન માલિક તથા પાડોશીઓ પણ દોડી ગયા હતા. પુરી દીધો હતો.
આરોપીને પણ ઈજા થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ આવતા આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેને પકડીને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સારવાર બાદ યુનિવર્સિટી પોલીસે સકંજામાં લીધો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ચૌધરી દોડી ગયા હતા. અમદાવાદ રહેતા મૃતક મહિલા ચૌલાબેનના ભાઈ શિવાંગભાઈ ત્રિભોવનદાસ પટેલ સહિતના રાજકોટ દોડી આવ્યા હતા. પીઆઈ હર્ષ પટેલ અને ટીમે શિવાંગભાઈની ફરિયાદના આધારે કાનજી સામે હત્યાના આરોપ હેઠળ ગુનો નોંધી કાનજીની ઘરપકડની તજવીજ હાથ ધરી હતી.