દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ અનેક ફ્લાઇટમાં ખામી સર્જાઈ રહી છે ત્યારે આજે હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 315માં દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ પછી આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના દરમિયાન વિમાન એરપોર્ટના ગેટ પર ઉભું હતું અને મુસાફરો વિમાનમાંથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે આગ લાગી હતી. જોકે, રાહતની વાત એ છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.
Big Breaking 🚨
— Soniya Deshwal (@ImSoniya24) July 22, 2025
An Air India flight from Hong Kong caught fire after landing at Delhi's IGI Airport on July 22, 2025.
The fire broke out in the aircraft's Auxiliary Power Unit (APU) after it had safely parked at the gate.
Thankfully, all passengers and crew were evacuated… pic.twitter.com/dtHYXCrj1r
શું છે સમગ્ર ઘટના?
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ થતાં જ એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં આગ લાગી હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI 315) લેન્ડિંગ પછી પ્લેનના પાછળના ભાગમાં આવેલા નાના એન્જિન (APU – સહાયક પાવર યુનિટ) માં આગ લાગી ગઈ. દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યા પછી પ્લેન ગેટ પર ઉભું હતું ત્યારે આ ઘટના બની હતી અને મુસાફરો વિમાનમાંથી ઉતરવાનું શરૂ કરી ચૂક્યા હતા. આ અકસ્માતમાં તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે.
Flight AI 315, operating from Hong Kong to Delhi on 22 July 2025, experienced an auxiliary power unit (APU) fire shortly after it had landed and parked at the gate. The incident occurred while passengers had begun disembarking, and the APU was automatically shut down as per… pic.twitter.com/j32CC7P3Zk
— ANI (@ANI) July 22, 2025
એર ઇન્ડિયાના પ્રવક્તા નિવેદન
આ ઘટના અંગે એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “22 જુલાઈના રોજ, લેન્ડિંગ અને ગેટ પર પાર્કિંગ કર્યા પછી, હોંગકોંગથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI-315 ના સહાયક પાવર યુનિટમાં આગ લાગી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે મુસાફરો વિમાનમાંથી ઉતરવાનું શરૂ કરી રહ્યા હતા. સલામતી વ્યવસ્થા મુજબ, સહાયક પાવર યુનિટ આપમેળે બંધ થઈ ગયું હતું.”પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાનને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યું છે અને સંબંધિત નિયમનકારી સત્તાવાળાઓને જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
આગ લાગવાને કારણે વિમાનને નુકસાન
પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાનને થોડું નુકસાન થયું છે, પરંતુ બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સામાન્ય રીતે ઉતરી ગયા છે અને સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે એમ પણ કહ્યું કે વિમાનને હાલ પૂરતું ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને નિયમનકારી અધિકારીને આ બાબતની તપાસ કરવા માટે જાણ કરવામાં આવી છે.
