ભેજાબાજ ટેક્સચોરને પકડી પાડશે AI ! મોટા કૌભાંડ પકડી પાડવામાં IT-GST આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેશે
ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ભેજાબાજ કરચોરો સુધી પહોંચવા માટે હવે જીએસટી અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ.આઈ.નો ઉપયોગ કરશે. જેના માટે અધિકારીઓને તાલીમ આપવાનો પણ આયોજન થયું હોવાનું અને આ ટેક્નોલોજીનો ઉપયોગ હાલ પૂરતું આંતરિક રાખવા માટેની સૂચના અપાઈ છે.
આવકવેરા વિભાગ અને જીએસટી તંત્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને એક સ્ત્રોત તરીકે ગણી રહ્યું છે. આજે હવે આ વિકલ્પને કરચોરો સુધી પહોંચવા માટે એ.આઈ. ની મદદ લેશે તેમ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આ મુદ્દાને લઈને ઉચ્ચ ઓથોરિટીની એક મિટિંગ મળી હતી જેમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં એડવાન્સ અને ટેકનોલોજીના જાણકાર અધિકારીઓને આ મિશન સોંપવામાં આવશે. અત્રે ઉલ્લેખની રાજકોટમાં ત્રણ વર્ષ પૂર્વે જાણીતા બિલ્ડર ગ્રુપ ત્યાંથી કરોડો રૂપિયાની કરચોરી આવકવે વિભાગ એ ઝડપી લીધી હતી.
જેમાંથી કોમ્પ્યુટર ડેટા, હાર્ડ ડિર સહિતનો વ્યાપક ડેટા મળ્યો હતો. જેને ઓપરે કરવા માટે વિગના એક અધિકારીએ ખૂબ મથામણ કરી હતી, તેઓ પણ ટેકનોલોજી સારું નોલેજ ધરાવતા હતા. ટીમની મદદ ક આખરે કોમ્પ્યુટર ડેટા પરથી કરોડોની કરચો મુલા છે.
જીએસટી દ્વારા ઈન્કમટેક્સ વિભાગ સા સંકલન કાઢીને ટેકનોલોજીનાં ભેજાબાજોન કરચોરીની માહિતી મેળવવા તાલ મેલ શ કરાયો છે. હવે એ.આઈ.ની મદદથી અ ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કરશે.
A.I.ની મદદથી કરચોરોની કુંડળી’ ખોલશે
એ.આઈ.ની મદદથી અમુક ખાસ કરીને લકઝયુરીસ લાઈફ સ્ટાઇલ માણે છે પણ ટેક્સ આપવામાં તુક્કા મારે છે તેવા લોકોને એ.આઈ. શોધી આપશે.ખાસ કરીને આવા લોકોનાં સોશિયલ મીડિયામાં તેના એકાઉન્ટસ, દેશ-વિદેશની ટ્રીપ, બેંક ખાતાની માહિતી એકત્ર કરશે. આર્થિક વ્યવહારો, બિઝનેસના ટ્રાન્જેક્શન સહિતની બાબતો સુધી પહોંચવા એ.આઈ.નો ઉપયોગ કઈ રીતે કરવો તે દિશામાં અધિકારીઓ કામ કરી રહ્યાં છે