Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

2006 Mumbai Train Blasts : મુંબઈમાં લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ 12 આરોપીને નિર્દોષ જાહેર, પ્રેશરકૂકરમાં કર્યા હતા બોમ્બ સેટ

Mon, July 21 2025

મુંબઈ હાઈકોર્ટે સોમવારે 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં 12 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. પુરાવાના અભાવે કોર્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે ફરિયાદ પક્ષ તેમની સામેનો કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. મુંબઈના પશ્ચિમ રેલ્વે નેટવર્કને હચમચાવી નાખનારા આતંકવાદી હુમલાના 19 વર્ષ પછી આ નિર્ણય આવ્યો છે. આ હુમલામાં 180 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

કોર્ટે કહ્યું હતું કે, ‘પ્રોસિક્યુશન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હતું’

હાઈકોર્ટની ખાસ બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ‘કેસમાં રજૂ કરાયેલા પુરાવા વિશ્વસનીય નહોતા’ અને ‘ઘણા સાક્ષીઓની જુબાની શંકાના દાયરામાં હતી’. કોર્ટે એ પણ સ્વીકાર્યું હતું કે આરોપીઓની બળજબરીથી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા, જે કાયદેસર રીતે માન્ય નથી. ઓળખ પરેડને પડકારતી બચાવ પક્ષની દલીલોને વાજબી માનવામાં આવી હતી. કેટલાક સાક્ષીઓ વર્ષો સુધી ચૂપ રહ્યા અને પછી અચાનક આરોપીઓને ઓળખી કાઢ્યા, જે ‘અસામાન્ય’ છે. આવા કેસોમાં અગાઉ ઘણા સાક્ષીઓ હાજર થયા હતા, જેના કારણે તેમની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થયા હતા. કથિત RDX અને અન્ય સામગ્રીની રિકવરી અંગે કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા.

‘પુરાવા મજબૂત નહોતા’

કોર્ટે કહ્યું હતું કે, ‘જુબાની, તપાસ અને પુરાવા મજબૂત નહોતા. આરોપીઓ સાબિત કરવામાં સફળ રહ્યા કે તેમની પાસેથી બળજબરીથી કબૂલાત લેવામાં આવી હતી.’ ન્યાયાધીશોએ કહ્યું, ‘અમે અમારી ફરજ બજાવી છે. તે અમારી જવાબદારી હતી.’ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા દોષિતો અમરાવતી, નાસિક, નાગપુર અને પુણેની જેલમાંથી રડતા જોવા મળ્યા. કોઈએ ખુશી વ્યક્ત કરી નહીં, બધાની આંખોમાં આંસુ હતા.

સરકારી વકીલે ચુકાદાને ‘માર્ગદર્શક’ ગણાવ્યો

આ કેસમાં આરોપીઓ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ યુગ મોહિત ચૌધરીએ કહ્યું, ‘આ ચુકાદો વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહેલા તમામ લોકો માટે આશાનું કિરણ છે.’ સરકારી વકીલ રાજા ઠાકરેએ પણ ચુકાદાને ‘માર્ગદર્શક’ ગણાવ્યો.

2006નો તે કાળો દિવસ

11 જુલાઈ, 2006ના રોજ, મુંબઈની લોકલ ટ્રેનોમાં 11 મિનિટની અંદર સાત સ્થળોએ થયેલા વિસ્ફોટોમાં 189 લોકોએ જીવ ગુમાવ્યા અને 827 મુસાફરો ઘાયલ થયા. ATSએ કેસની તપાસ કરી અને MCOCA અને UAPA જેવી કડક કલમો હેઠળ 13 લોકોની ધરપકડ કરી, જ્યારે 15 અન્ય ફરાર હોવાનું જાણવા મળ્યું, જેમાંથી કેટલાક પાકિસ્તાનમાં હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 11,520 ફલાઈટમાં 25 વાર પક્ષીઓની ‘ટક્કર’: આ વર્ષે બગલાં દેખાયાં, જાણો બર્ડહિટ ક્યારે થાય છે?

ટ્રાયલ અને અપીલ યાત્રા

2015માં, ખાસ કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. 5 આરોપીઓને મૃત્યુદંડ અને 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ પછી, રાજ્ય સરકારે મૃત્યુદંડની સજાને સમર્થન આપવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જ્યારે આરોપીઓએ તેમની સજા અને દોષિત ઠેરવવાને પડકારતી અપીલ દાખલ કરી હતી.

આ પણ વાંચો : આજથી સંસદમાં મોનસૂન સત્ર : વિપક્ષી વાદળ ઘેરાયા; સંસદમાં સાંબેલાધારે સવાલનો સંકેત,હોબાળાની શક્યતા

પુરાવાઓની સંખ્યા વધુ હોવાથી કેસ લાંબા સમય સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. 2023માં, એહતેશામ સિદ્દીકી નામના આરોપીએ અપીલની સુનાવણી ઝડપી બનાવવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પછી, એક ખાસ બેન્ચની રચના કરવામાં આવી હતી, જેણે લગભગ 6 મહિના સુધી સતત કેસની સુનાવણી કરી અને પછી 6 મહિના સુધી ચુકાદા પર કામ કર્યું.

પ્રેશર કુકરનો ઉપયોગ કરીને 7 વિસ્ફોટ

આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ મુંબઈમાં 11 જુલાઈ 2006 ના રોજ સાંજે 6:24 થી 6:35 વાગ્યાની વચ્ચે એક પછી એક સાત વિસ્ફોટ થયા હતા. આ બધા વિસ્ફોટ મુંબઈના પશ્ચિમ રેલ્વે પર લોકલ ટ્રેનોના પ્રથમ વર્ગના ડબ્બામાં કરવામાં આવ્યા હતા.

આ વિસ્ફોટ ખાર, બાંદ્રા, જોગેશ્વરી, માહિમ, બોરીવલી, માટુંગા અને મીરા-ભાયંદર રેલ્વે સ્ટેશન નજીક થયા હતા. ટ્રેનોમાં લગાવવામાં આવેલા બોમ્બ RDX, એમોનિયમ નાઈટ્રેટ, ફ્યુલ ઓઇલ અને ખીલીઓથી બનેલા હતા, જે સાત પ્રેશર કુકરમાં મૂકવામાં આવ્યા હતા અને ટાઈમરનો ઉપયોગ કરીને ઉડાવી દેવામાં આવ્યા હતા.

Share Article

Other Articles

Previous

સુપરસ્ટાર વગરની ફિલ્મ સૈયારાનો દબદબો: ‘રેઇડ 2’, ‘સ્કાયફોર્સ’ને પાછળ છોડી, મોટા કલાકારોને ધૂળ ચટાવી અનેક રેકોર્ડ તોડ્યા

Next

કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય પ્રભુ ચૌહાણના પુત્ર સામે લગ્નની લાલચે દુષ્કર્મનો આરોપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું : કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાજીનામાં અંગે કર્યો મોટો દાવો
21 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહનું નામ અત્યારે ચર્ચામાં સૌથી મોખરે
58 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદેશી ધનખડના રાજીનામા પાછળ માત્ર આરોગ્ય જ નહીં બીજા પણ ગંભીર કારણો હોવાની કોંગ્રેસને શંકા
1 કલાક પહેલા
ધનખડે સાંજે 4:30 વાગે બિઝનેસ એડવાઈઝરી કમિટીની ફરી બેઠક બોલાવી હતી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2276 Posts

Related Posts

ટીઆરપી ગેમઝોનના સંચાલકોએ 22 લાખથી વધુની આઇટીસી લીધાનો ઘટસ્ફોટ
રાજકોટ
1 વર્ષ પહેલા
ગાંધી ફેમિલી ઉપરાંત કેટલા રાજકીય પરિવારોના સભ્યો છે સાંસદ ? વાંચો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિકોમાં લોકોને મફત દવા આપવાનું ચાલુ રાખજો, કસ્ટડીમાંથી અરવિંદ કેજરીવાલનો બીજો આદેશ
Breaking
1 વર્ષ પહેલા
આજનું રાશિફળ 2 એપ્રિલ : આજે આ રાશિના જાતકોને અણધાર્યા સમાચાર મળશે, નકારાત્મક વિચારો દુર થશે, દિવસ શુભ રહેશે
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર