છત્તીસગઢમાં વધુ એક ઓપરેશનમાં 16 નક્સલ ઉગ્રવાદીઓનો ખાત્મો
છત્તીસગઢમાં માર્ચ 2026 સુધીમાં નક્સલવાદ ખતમ કરવાના કેન્દ્ર સરકારના લક્ષ્ય અંતર્ગત સુરક્ષા દળો દ્વારા થઈ રહેલી કામગીરીમાં શનિવારે એક એન્કાઉન્ટરમાં વધુ 16 નકલ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ સુકમા જિલ્લાના કેરલપાલ વિસ્તારમાં નક્સલ હિલચાલ અંગે સચોટ બાતમી મળ્યા બાદ શુક્રવારે રાત્રે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ કરવામાં આવ્યો હતું. શનિવારે સવારે સુરક્ષા દળોએ નક્સલીઓને ઘેરી લીધા બાદ થયેલા સામસામા ગોળીબારમાં 16 ઉગ્રવાદીઓને ઢેર કરી દેવાયા હતા.
આ એનકાઉન્ટરમાં બે જવાનો પણ ઘાયલ થયા હતા. માર્યા ગયેલા ઉગ્રવાદીઓ પાસેથી બે એકે ફોર્ટી સેવન રાઇફલ, દેશી બનાવટની પિસ્તોલો અને દારૂગોળાનો જંગી જથ્થો મળી આવ્યો હતો. નોંધનીય છે કે આ અગાઉ 20મી માર્ચે પણ બે અલગ અલગ ઓપરેશનમાં 30 ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. એકલા બસ્તર વિસ્તારમાં જ આ વર્ષે અત્યાર સુધીમાં 100 નક્સલ ઉગ્રવાદીઓનો ખાતમો બોલાવી દેવાયો છે.