RCBના વિજયની ઉજવણીમાં ભાગદોડથી 11 લોકોનાં મોત,47 લોકો ઘાયલ : ફ્રી ટિકિટની લાલચમાં ભીડ ઉમટી હોવાની શંકા
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની પ્રથમ IPLજીતની ઉજવણી દરમિયાન બુધવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ભાગદોડમાં 11 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે ઘાયલ થયેલા 47થી વધુ ચાહકોને હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં કેટલાકની હાલત ગંભીર ગણાવાય છે. મૃત્યુઆંક વધવાનો ભય સેવાઈ રહ્યો છે. આ પ્રસંગે અંદાજે બે લાખ લોકો ઉપસ્થિત રહેવાની ગણતરી હતી તેને બદલે 6 લાખ લોકો એકત્ર થઈ જતાં તંત્ર માટે કાબૂ મેળવવાનું મુશ્કેલ બન્યું હતું. એટલું જ નહીં 32 હજારની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં પણ એક લાખ લોકો ઘૂસી ગયા હતા. આઈપીએલમાં પ્રથમ વખત આરસીબીની ટીમ ચેમ્પિયન થતા બેંગલોર સહિત આખું કર્ણાટક જશ્નમાં ડૂબી ગયું હતું.
2 લાખ લોકોને બદલે 6 લાખ ઊમટ્યા

બુધવારે કર્ણાટક ક્રિકેટ એસોસિયેશન દ્વારા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એ ટીમનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જો કે સ્ટેડિયમમાં માત્ર ટિકિટ મેળવનાર લોકોને જ પ્રવેશ આપવાનો હતો પરંતુ હજારો લોકો મંગળવારની રાતથી જ સ્ટેડિયમની બહાર એકત્ર થવા લાગ્યા હતા. દરમિયાન બુધવારે સ્ટેડિયમના વિવિધ દરવાજેથી પ્રવેશવા ભારે ધસારો થતાં ધક્કામુક્કી અને ભાગદોડ મચી જતા અંધાધૂંધી ફેલાઈ હતી. આ ઘટનામાં 47 કરતા વધુ લોકો ઘાયલ થતા તમામને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં 11 વ્યક્તિના મૃત્યુ થયા હોવાનું જાહેર થયું હતું. અન્ય કેટલાકની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી શિવકુમારે પણ ધક્કામુક્કીમાં મૃત્યુ થયાનું સ્વીકાર્યું હતું પરંતુ મૃત્યુઆંક અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : લો બોલો! કરાંચીની જેલમાંથી 216 કેદીઓ એક સાથે ભાગી ગયા, વાંચો શું છે સમગ્ર મામલો

47 લોકો ઘાયલ, કેટલાકની હાલત ગંભીર
સ્ટેડિયમ સુધી પહોંચતા રસ્તાઓ પર હજારો લોકોની ભીડ હોવાને કારણે એમ્બ્યુલન્સને પહોંચવામાં વિલંબ થયો હતો તેવું પોલીસે જણાવ્યું હતું. એક અલગ ઘટનામાં, એક ચાહક સ્ટેડિયમમાં કૂદવા માટે દરવાજા પર ચઢતી વખતે નીચે પડી ગયો અને તેનો પગ તૂટી ગયો હતો.એ અગાઉ કર્ણાટક સરકારે સુરક્ષાના કારણોસર વિધાન સૌધથી ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ સુધીની વિજય પરેડ રદ કરી હતી. બીજી તરફ ખેલાડીઓની એક ઝલક જોવા માટે સમગ્ર કર્ણાટકમાંથી હજારો લોકો બેંગ્લોરમાં ઉંટી પડ્યા હતા. વિધાનસભા પરિસરમાં પણ સરકાર દ્વારા આયોજિત સન્માન કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. પોલીસે ભીડને નિયંત્રિત કરવા માટે હળવા લાઠીચાર્જનો આશરો લેવો પડયો હતી.

એ પહેલા જ્યારે RCB ટીમ બુધવારે એચએએલ એરપોર્ટ પર પહોંચી, ત્યારે ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે વ્યક્તિગત રીતે તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે દરેક ખેલાડીને ફૂલોનો ગુલદસ્તો આપ્યો. શિવકુમારે ખાસ કરીને ક્રિકેટર વિરાટ કોહલીનું અભિવાદન કરી તેમને આરસીબી ટીમનો ધ્વજ અને કન્નડ ધ્વજ બંને આપ્યા હતા.

ફ્રી પાસની લાલચમાં ભીડ ઉમટી…
તેમજ દર્શકોએ RCB વેબસાઇટ પરથી પાસ લેવાના હતા. પરંતુ તે ક્રેશ થઈ ગઈ હતી. તેમજ લોકો પાસ વગર પણ સ્ટેડિયમ પહોંચી ગયા હતા એવામાં આ ફ્રી પાસની અફવાના કારણે નાસભાગ થઈ હોવાની શંકા