સિદ્દિકી મર્ડરના 2 આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ મળી
પોલીસ અધિકારીએે પત્રકાર પરિષદમાં માહિતી આપી
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસને લઈને મુંબઈ પોલીસે રવિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દત્તા નલાવડેએ જણાવ્યું કે આ ઘટના શનિવારે રાત્રે બની હતી, જેના પછી મુંબઈ પોલીસે તત્પરતા દાખવી હતી. તપાસ તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. અમારી ટીમે તરત જ 2 આરોપીઓને પકડી લીધા હતા.
માહિતી આપતા ડીસીપી દત્તા નલાવડેએ વધુમાં જણાવ્યું કે, “આરોપી પાસેથી બે પિસ્તોલ મળી આવી છે. પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે. વિવિધ રાજ્યોમાં 15 ટીમો તૈનાત કરવામાં આવી છે.
પોલીસને પૂરી ખાતરી છે કે આ કાવતરા પાછળ અને મુખ્ય માસ્ટરમાઇન્ડને પકડી લેવામાં સફળતા મળશે. પકડાયેલા બંને આરોપીઓએ પોલીસની પૂછપરછમાં મહત્વની કડીઓ આપી છે જો કે તેના વિષે પોલીસ હજુ કઈ બોલવા માંગતી નથી.