અંબાજી નજીક સૌરાષ્ટ્રની યાત્રાળુ બસને અકસ્માત: 50 થી વધુ મુસાફરો ઘાયલ
20 દિવસથી યાત્રાએ નીકળેલી બસ અંબાજી દર્શન કરી મોઢેરા જવા નીકળી ત્યારે ત્રિશૂલિયા ઘાટ પાસે પલ્ટી ખાઈ ગઈ
અંબાજી-દાંતા વચ્ચે આવેલા ત્રિશૂલિયા ઘાટ પાસે સૌરાષ્ટ્રની યાત્રાળુ બસને અકસ્માત નડ્યો હતો જેમાં 50 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. આ બસમાં જામનગર, મોરબી અને રાજકોટના મુસાફરો હતા. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના માર્ગો મોટે ભાગે પહાડી અને ઢાળવાળા હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે અંબાજી પાસે આવેલા ત્રિશૂલિયા ઘાટમાં વધુ એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે.બસ પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.
અંબાજી દર્શન કર્યા પછી મોઢેરા જતાં ખાનગી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા, મળતા અહેવાલ પ્રમાણે 30થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. મુસાફરો જામનગર, મોરબી અને રાજકોટના છે. ઘાયલોને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લાં 20 દીવસથી યાત્રા પર લોકો નીકડ્યા હતા.તમામ ઈજાગ્રસ્તોની દાંતા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. યાત્રાળુઓ સૌરાષ્ટ્રથી 20 દિવસની યાત્રા માટે નીકળ્યા હતા અને આ બસ અંબાજી થઈ વિવિધ ધાર્મિક સ્થાનોના પ્રવાસ માટે નીકળી હતી. જેમાં 50થી વધુ મુસાફરો ખાનગી બસમાં સવાર હતા. આ દરમિયાન અંબાજી દર્શન કર્યા બાદ મોઢેરા જતાં હતા ત્યારે અકસ્માત થયો હતો. નીકળ્યા હતા. જેને અચાનક અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસ પલ્ટી હતી.