દુષ્કર્મી સ્વામીઓની નજીક રહેલાઓની સઘન પૂછપરછ
ગુનો નોંધાયાની જાણ થતાં જ બે સ્વામી સહિત ત્રણેય રફફુંચક્કર થઈ ગયા’તા : કયા કયા આશ્રય મેળવી શકે તે દિશામાં તપાસનો ધમધમાટ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મસ્વરૂપદાસ સ્વામી,નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયૂર કાસોદરિયા સમે રાજકોટની યુવતી દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગુનો નોંધાતાની સાથે બે સ્વામી સહિત ત્રણ ભૂગર્ભમાં ઉતરી હતા. જેથી પોલીસ દ્વારા ખીરસરા ગુરુકુળમાં સ્વામીની નજીક રહેલાઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.ઉપરાંત સ્વામી કયા કયા આશ્રય મેળવી શકે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
મહિતી મુજબ ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મસ્વરૂપદાસ સ્વામીએ રાજકોટની મહિલાનો 2020માં ફેસબુક મારફત સંપર્ક કર્યો હતો. અને તેણીને ફસાવી ખીરસરા બોલાવી ગેસ્ટ હાઉસમાં રોકાણ કરાવ્યું હતું. અને તેણીને ત્યાં મળી લગ્ન કરવાનું નાટક કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં સાધ્વી બની જવાનું કહી પોતાની પાસે રહેવા બોલાવી લીધી હતી. અને અવારનવાર તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેણીને ગર્ભ પણ રાખી દીધો હતો. અને તેના સેવકની મદદથી ગર્ભપાત પણ ક્રવાઈ દીધો હતો. બાદ મહિલાને સ્વામી સાથે મતભેદ થતાં તેણીને ધર્મસ્વરૂપદાસ સ્વામી અને નારાયણ સ્વરૂપદાસ સ્વામી દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી. જેથી તેણીએ રાજકોટ મહિલા પોલીસમાં ફરિયાદ કરી હતી. અને આ વિસ્તાર ભાયાવદર પોલીસમાં આવતો હોવાથી અહી ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનો નોંધાયાની જાણ સ્વામીઓને થતાં જ તેઓ રફફુંચક્કર થઇ ગયા હતા.જેથી આ મામલે તપાસ ગોંડલ આઈ.યુ.સી.એ.ડબલ્યુના પીઆઇને સોંપવામાં આવી હતી.અને આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસની ટીમો ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળમાં પહોંચી હતી. અને સ્વામીની નજીકમાં રહેતા તમામની આકરી પૂછપરછ કરવામાં આવી હતી.ઉપરાંત સ્વામી કયા કયા આશ્રય મેળવી શકે છે. તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
સ્વામીઓને પકડવા પોલીસની ત્રણ ટીમો બનાવાઇ : SP જયપાલસિંહ રાઠોડ
ખીરસરા ગામના સ્વામીએ વિરુદ્ધ નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ મામલે ચાલતી તપાસ વિશે માહિતી આપતા વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં SP જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે,ગુનો નોંધ્યા બાદ આ મામલે તપાસ ગોંડલ આઈ.યુ.સી.એ.ડબલ્યુના પીઆઇ રાઠોડને સોંપવામાં આવી છે. અને સ્વામીને પકડવા માટે પોલીસની ત્રણ ટીમો બનાવવામાં આવી છે.હાલ ખીરસરા ગામે ગુરુકુળ ખાતે આગળની તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. અને સ્વામીની નજીક રહેલાઓની ખાસ પૂછપરછ કરવામાં આવી રહી છે.
સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થતાં ગુરુકુલમાંથી વાલીઓ દીકરીઓને ઘરે લઇ ગયા
સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા તેના પડઘા દૂર સુધી પડયા છે. જેથી આ ગુરુકુળમાં અભ્યાસ કરતી દીકરીઓને તેના વાલીઓ પોતાના ઘરે લઇ જઈ રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ચકચારી બનેલા બનાવને કારણે વાલીઓમાં પણ ડર જોવા મળી રહ્યો છે. અનેવ સ્વામી પરનો વિશ્વાસ તૂટતાં જ તેઓ તેની દીકરીઓને પોતાના ઘરે પરત લઇ જઈ રહ્યા છે.