રામવન પાસે પાણીની ખાણમાં ઝંપલાવી યુવકનો આપઘાત
શહેરમાં કોઠારીયા રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતા યુવાન ઘરેથી નીકળી ગયા બાદ આજીડેમ ચોકડી નજીક રામવન પાસે પાણીની ખાણમાં ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરારી મચી જવા પામી છે
મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ આવેલી સોમનાથ સોસાયટી શેરી નં.1માં રહેતો રાજેન્દ્ર જેન્તીભાઇ પીપડીયા (ઉવ.32)નામનો યુવાન ગુરુવારના બપોરે ઘરેથી નીકળી ગયા બાદ લાપતા થયો હતો. જેથી પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.પરંતુ તેનો કોઇ પતો લાગ્યો ન હતો. દરમિયાન ગઇકાલે આજીડેમ ચોકડી નજીક રામવન પાસે આવેલી પાણીની ખાણમાંથી રાજેન્દ્ર પીપડીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી તેને ઘરેથી નીકળી પાણીમાં ઝંપલાવી આપઘાત કરી લીધાનું માલૂમ પડ્યું હતું. આ મામલે આજીડેમ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાજેન્દ્ર એક બહેનનો એકનો એક ભાઇ હોવાનો અને કારખાનામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેણે આ પગલું શા માટે ભરી લીધું? તે અંગે પરિવારજનો પણ અજાણ હોય જેથી પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.