કોટેચા ચોક પાસે પ્રૌઢને ઠોકરે ચડાવનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
શહેરમાં કોટેચા ચોક પાસે રવિવારના રાત્રિના સમયે કાર ચાલકે માર્ગ પર ચાલીને જતાં પ્રૌઢને ઠોકરે ચડાવ્યા હતા.અને પ્રૌઢ બેભાન થઈ ઢળી પડતાં આ કાર ચાલકે તેને 108 મારફત સારવારમાં ખસેડયા હતા.પ્રૌઢનું મોત થતાં કાર ચાલક ભાગી ગયો હતો.અને આ મામલે પોલીસે મૃતક પ્રૌઢની ઓળખ કરી તેના પુત્રની ફરિયાદ આધારે અકસ્માત સર્જનાર કાર ચાલક ચિરાગ સામે ગુનો નોંધ્યો છે.ગાંધીગ્રામ પોલીસમાંથી મળતી માહિતી મુજબ કોટેચા ચોકથી ઇન્દિરા સર્કલ તરફના રોડ પર ચાલી જતાં બાલુભાઈ દેશાભાઈ ચાવડાને અજાણ્યી કારના ચાલક ચીરાગ નામના શખસે ઠોકરે ચડાવ્યા હતા.અકસ્માત થતાં બાલુભાઈ માર્ગ પર બેભાન થઈ ઢળી પડતાં તેને સારવાર માટે 108 મારફત સિવિલમાં ખસેડતા તેમનું અહી મોત નીપજ્યું હતું.આ મામલે પીએસઆઈ એસ.બી.જાડેજા અને ટીમે તપાસ કરી મૃતકની ઓળખ મેળવી તેમના સગાનો સંપર્ક કરી બાલુભાઈના પુત્ર દર્શનની ફરિયાદ પર કારના ચાલક ચિરાગ સામે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.