રાજકોટ-જામનગર હાઇવે ઉપરથી પકડાયેલ 8 હજાર બોટલ સિરપ પ્રકરણમાં બે શખ્સો સામે ગુનો નોંધાયો
સીરપમાં નશાકારક દ્રવ્યો હોવાનું એફએસએલ રિપોર્ટમાં ખુલાશો
રાજકોટ-જામનગર હાઇવે ઉપરથી ચાર માસ પહેલાં પડધરી પોલીસે પકડી પડેલા 8000 બોટલ નશાકારક આયુર્વેદિક સીરપમાં નશાકારક હોવાનું એફએસએલ રિપોર્ટમાં ખુલતાં અમદાવાદના બે શખ્સો પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.
ગત તા.27/07 ના ન્યારા ચેક પોસ્ટ પાસે ટ્રક નં. જીજે 38 ટી 8852 નંબરના ટ્રક માંથી અમદાવાદથી ખંભાળિયા મોકલવામાં આવેલા અલગ અલગ બ્રાન્ડની નશાકારક આયુર્વેદિક સીરપની 8000 બોટલનો જથ્થો મળી કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સિરપને ફોરેન્સીક તપાસ અર્થે મોકલ્યું હતું. આયુર્વેદિક સીરપમાં નશાકારક હોવાનું એફએસએલ રિપોર્ટમાં ખુલતાં પોલીસે સિરપની હેરાફેરી કરનાર અમદાવાદના અમિત સાબિર મલેક અને સાદીક યાસીન મોમાણી સામે પ્રોહિબિશન સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી હતી.પડધરી પોલીસ મથકના પીએસઆઈ જે.જી.ઝાલા સહિતના સ્ટાફે વધુ તપાસ શરૂ કરી હતી.