ચૂંટણી પંચે રણદિપ સુરજેવાલના ચૂંટણી પ્રચાર પર 48 કલાકનો લગાવ્યો પ્રતિબંધ
હેમા માલિની પર અયોગ્ય ટિપ્પણીના મામલામાં ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે સુરજેવાલાને આજે સાંજે 6 વાગ્યાથી આગામી 48 કલાક માટે રેલીઓ અને જાહેર સભાઓને સંબોધવા પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રચાર પ્રતિબંધના આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ પ્રકારની જાહેર સભા, રોડ શો, ઈન્ટરવ્યુ કે જાહેર નિવેદન આપી શકશે નહીં.