કાશ્મીરમાં કેવી રીતે ખાતમો થયો આતંકીઓનો ? વાંચો
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે ચાલી રહેલી કાર્યવાહીમાં સુરક્ષા દળના જવાનોને મોટી સફળતા મળી હતી. કુલગામમાં જે ઘરમાં આતંકીઓ સંતાઈને હુમલો કરતાં હતા તે ઘરને જવાનોએ રોકેટ લોન્ચરથી ઊડવી દેતાં 5 આતંકીઓ માર્યા ગયા હતા. સેનાના ઓપરેશનના બીજા દિવસે સફળતા મળી હતી. શિયાળામાં ઘૂસણખોરીનો વધુ પ્રયાસ થાય છે માટે જવાનો 24 કલાક સાબદા રહ્યા છે.
કશ્મીરના એડીજીએ એવી માહિતી આપી હતી કે કેટલીક વાંધાજનક સામગ્રી પણ મળી છે. ઓપરેશન હવે અંતિમ ચરણમાં ચાલી રહ્યું હતું. આખા વિસ્તારને ઘેરીને તલાશ જારી છે.
ગઈકાલથી જ આ વિસ્તારમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઇ હતી. સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ, એલિટ સ્પેશિયલ ફોર્સ યુનિટ, પોલીસ અને સીઆરપીએફ સંયુક્ત રીતે આતંકવાદીઓને શોધી રહ્યાહતા. ઠાર કરેલા આતંકવાદીઓ સ્થાનિક હોવાની માહિતી બહાર આવી હતી.
આ આતંકીઓ ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન માર્યા ગયા હતા. આ પહેલા 15 નવેમ્બરે પણ સુરક્ષા દળોએ ઉરીમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ઘૂસણખોરી રોકવા માટે સુરક્ષા દળોએ ‘ઓપરેશન કાલી’ શરૂ કર્યું હતું. આતંકીઓ સાથેની અથડામણ બાદ સેનાએ કહ્યું હતું કે, બશીર અહેમદ મલિક સહિત બે લોકો માર્યા ગયા છે. આ આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.