રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશકુમાર ઝાની નિમણુક
રાજકોટના અગ્નિકાંડનો મોટો પડઘો પડ્યો છે. રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને DCP સુધીર દેસાઈની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. ત્રણેયના પોસ્ટીંગ બાકી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર તરીકે મહેન્દ્ર બગડીયા અને ડી.સી.પી. તરીકે જગદીશ બંગરવાની નિમણુક કરવામાં આવી છે.