યાત્રાધામ પાવાગઢમાં ચૈત્રી પૂનમ હોવાથી ભક્તોની ભીડ
યાત્રાધામ પાવાગઢમાં ચૈત્રી પૂનમ હોવાથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મહાકાળી માતાજીના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી પડ્યા છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ભકતો માતાજીના દર્શનાર્થે આવ્યા છે. માતાજીનું નિજ મંદિરનું પ્રાંગણ વહેલી સવારથી ભક્તોથી છલકાયું છે.
