મુંબઈ ચુનાભટ્ટી વિસ્તારની આઝાદ ગલીમાં સરાજાહેરમાં ફાયરિંગ, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત
મુંબઈગરાઓ માટે ચોંકાવનારા સમાચાર છે. આજે રવિવારે બપોરે ચુનાભટ્ટી વિસ્તારની આઝાદ ગલીમાં ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ ત્રણેયને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપીઓએ બપોરે ગોળી મારીને ભાગી ગયા હતા. પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. આઝાદ ગલીમાં કોઈને પ્રવેશવાની મંજૂરી નથી. પ્રાથમિક વિગતો અનુસાર આઝાદ ગલીમાં 15 થી 17 થી વધુ રાઉન્ડ ફાયરિંગના અહેવાલ છે. ફાયરિંગ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણથી ચાર અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમની સારવાર ચાલી રહી છે. ઘાયલોમાં એકનું નામ પપ્પુ યેરુનકર છે. અન્ય બેના નામ હાલમાં જાણી શકાયા નથી. ગોળીબાર મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.