જૂનાગઢના ભેંસાણ પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ
જૂનાગઢના ભેંસાણ પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળજાળ ગરમી વચ્ચે માવઠું થયું હતું. જેના કારણે ખેડૂત વર્ગમાં ચિંતા પ્રસરી જવા પામી છે. ભેંસાણ પંથકમાં કેરી, તલ, અડદ, મગના પાકમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. પવન સાથે કમોસમી વરસાદ આવતા કેરીના પાકમાં વધુ નુકશાન થવાની સંભાવના છે.