અરવિંદ કેજરીવાલની જાહેરાત : ચૈતર વસાવા ભરૂચ બેઠકથી લડશે લોકસભાની ચૂંટણી
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, હાલમાં ગુજરાતના પ્રવાસે છે. તેમણે લોકસભા 2024ની ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ભરુચ બેઠક પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણી લડશે. જ્યા સુધીમાં લોકસભાની ચૂંટણીની પ્રક્રીયા શરૂ થશે ત્યા સુધીમાં ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થઈ ગયા હશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
