અયોધ્યા 30 ડિસેમ્બર પહેલા ઝગમગશે
ઉતર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું છે કે, ભાજપના તમામ કાર્યકર્તાઓ અને જનતા સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં લાગેલા છે. 30 ડિસેમ્બરના રોજ પીએમ મોદી શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને અહીં બનેલા ભવ્ય રેલ્વે સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. તમામ કાર્યક્રમોને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 30 ડિસેમ્બર પહેલા અયોધ્યા જગમગવા લાગશે.
