બેંગલુરુ એરપોર્ટ પર નમાજ પઢવાનો મુદ્દો ગરમાયો : ભાજપે સલામતિ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા, વિડીયો થયો વાયરલ
બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2 ઉપર નમાજ પઢવાનો મુદ્દો ગરમાયો છે. આ એરપોર્ટનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો ખુલ્લામાં નમાઝ અદા કરતા જોવા મળે છે. આ અંગે ભાજપ સહિતના વિરોધ પક્ષે રાજ્ય સરકાર પર ધાર્મિક પ્રવૃત્તિઓ અંગે બેવડા ધોરણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.
અહેવાલ મુજબ, વીડિયોમાં નમાઝ અદા કરતા જોવા મળતા લોકો મક્કા જતા મુસાફરોના સંબંધીઓ હોવાનું માનવામાં આવે છે. એરપોર્ટ પરિસરમાં પહેલેથી જ એક નિયુક્ત નમાઝ રૂમ હોવા છતાં તેઓએ જાહેર જગ્યામાં નમાઝ અદા કરી હતી તેવું દેખાય છે. વાયરલ વીડિયોમાં એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ પણ નજીકમાં દેખાય છે.
How is this even allowed inside the T2 Terminal of Bengaluru International Airport?
— Vijay Prasad (@vijayrpbjp) November 9, 2025
Hon’ble Chief Minister @siddaramaiah and Minister @PriyankKharge do you approve of this?
Did these individuals obtain prior permission to offer Namaz in a high-security airport zone?
Why is it… pic.twitter.com/iwWK2rYWZa
વીડિયો સામે આવ્યા બાદ ભાજપના નેતા વિજય પ્રસાદે એક્સ પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને આઈટી મંત્રી પ્રિયંક ખડગે પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યુ હતું કે, “બેંગલુરુ એરપોર્ટના ટી-2 ટર્મિનલમાં આ કેવી રીતે મંજૂરી આપવામાં આવી? શું આ લોકોએ નમાઝ અદા કરવા માટે પૂર્વ મંજુરી મેળવી હતી? આ એક હાઈ સિક્યોરિટી ઝોન છે.” તેમણે આગળ લખ્યું હતું કે, “સરકાર RSS માર્ચ જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકે છે, પરંતુ આવી ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન કરે છે. આ એક ગંભીર સુરક્ષા ચિંતા છે.”
આ વિવાદ બાદ કર્ણાટક સરકાર ટૂંક સમયમાં એક આદેશ જાહેર કરી શકે છે જે એરપોર્ટ પરિસરમાં કોઈપણ પ્રકારની ધાર્મિક અથવા રાજકીય પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકશે.
