Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જેલમાંથી સરકાર નહીં ચાલે : મોદીનો ધ્રુજારો, વિપક્ષો પર બોલાવી તડાપીટ

Sat, August 23 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારના ગયાજીમાં એક જનસભામાં ત્રણ વિવાદાસ્પદ બિલોનો બચાવ કરીને કોંગ્રેસ, આરજેડી અને ડાબેરી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. આ બિલોમાં જો વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી કે મુખ્યમંત્રી 30 દિવસથી વધુ સમય સુધી જેલમાં રહે અને તેમના પર પાંચ વર્ષથી વધુ સજાનો ગુનો હોય, તો 31મા દિવસે પદ ગુમાવવાની જોગવાઈ છે.નોંધનીય છે કે એ બિલ સામે વિપક્ષોના ભારે વિરોધ વચ્ચે મોદીએ આ પ્રથમ વખત પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો : રઝળતા શ્વાનોને નસબંધી અને રસીકરણ બાદ મૂળ વિસ્તારમાં પાછા મૂકવા સુપ્રીમ કોર્ટનો આદેશ

મોદીએ કહ્યું કે જો કોઈ સરકારી કર્મચારી, ડ્રાઇવર કે પટાવાળો 50 કલાક જેલમાં રહે તો તેની નોકરી જાય છે. તો પછી મુખ્યમંત્રી કે વડાપ્રધાન જેલમાંથી સરકાર ચલાવે તે શું યોગ્ય છે? તેમણે વધુમાં કહ્યું કે નેતાઓએ નૈતિકતા જાળવવી જોઈએ.
મોદીએ પૂછ્યું કે કોંગ્રેસ અને આરજેડી ભ્રષ્ટાચાર સામેના આ કાયદાથી ડરે છે શું કામ ? તેમણે ઉમેર્યું કે એ પક્ષો બિલનો વિરોધ કરી રહ્યા છે પણ બિહારના લોકો જાણે છે કે આરજેડીના નેતાઓ હંમેશા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિપક્ષે આ બિલોને બંધારણના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરનારા અને સંઘવાદ પર હુમલા સમાન ગણાવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ બિલોને ‘મધ્યયુગીન’ ગણાવીને તે લોકશાહીને ખતમ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે આ બિલને શસ્ત્ર બનાવી વિપક્ષ દ્વારા શાસિત રાજ્ય સરકારોને તોડવા માટેનું ષડયંત્ર રચાયું હોવાનો પણ આક્ષેપ કર્યોં હતો. તેમણે ટીકા કરતા કહ્યું હતું કે વડાપ્રધાનને કોઈનો ચહેરો ન ગમે તો ઇડી દ્વારા કેસ કરાવી 30 દિવસમાં ચૂંટાયેલા નેતાને હટાવી શકાશે. વિપક્ષે લોકસભામાં બિલની નકલો ફાડીને વિરોધ નોંધાવ્યો હતો.વિપક્ષોએ કોઈ પણ સંજોગોમાં આ બિલ પસાર ન થવા દેવાનો નિર્ધાર કર્યો છે ત્યારે મોદીએ બિહારની સભામાં સામો પડકાર ફેંકતા બિહારની ચૂંટણીમાં આ મુદ્દો ગાજતો રહેશે તેવા સંકેતો પ્રાપ્ત થયા છે.

આ પણ વાંચો : રાજકોટના પારેવડી ચોકથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો રસ્તો ડામરથી મઢી દેવાશે : 5.81 કરોડના ખર્ચે નવું ડામરકામ તેમજ પેવિંગ બ્લોક પથરાશે

તૃણમુલની ઓળખ ક્રાઈમ અને કરપ્શન જેવી થઇ ગઈ છે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં ૫૨૦૦ કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યા બાદ પોતાના ઉદબોધનમાં મમતા સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, તૃણમુલ કોંગ્રેસની ઓળખ ક્રાઈમ અને કરપ્શન જેવી થઇ ગઈ છે. કેન્દ્ર સરકાર અહી વિકાસ માટે કરોડો રૂપિયા મોકલે છે પણ તૃણમુલના કાર્યકરો લુંટફાટ ચલાવે છે.

તેમને કહ્યું કે, બંગાળમાં ઘુસણખોરી બેફામ થાય છે અને સ્થાનિક લોકોના હક્ક ઉપર તરાપ લાગે છે. આ સ્થિતિ જોખમભરી છે. બંગાળની પ્રજા પોતાના મતથી સત્તા ઉપર બેઠેલા લોકોને જાકારો આપીને સલામતિનો અનુભવ કરી શકે છે.

Share Article

Other Articles

Previous

RMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સાંસદ સહિતને જમીન કપાત સામે વળતર, બગીચા શાખાની કામગીરીના ‘ભેદી’ ભાવની દરખાસ્ત પેન્ડિંગ

Next

રઝળતા શ્વાનોને નસબંધી અને રસીકરણ બાદ મૂળ વિસ્તારમાં પાછા મૂકવા સુપ્રીમ કોર્ટનો આદેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
12 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
3 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
3 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
3 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

આજથી ભારતમાં ક્રિકેટનો ‘તહેવાર’
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ઉદ્યોગકારોને હાશકારો: ઇન્કમટેક્સની જેમ GST પણ 7 દિવસમાં રિફંડ આપશે,3 દિવસમાં પોર્ટલ પર કરાવી શકશે રજિસ્ટ્રેશન
ગુજરાત
8 મહિના પહેલા
આરક્ષણની આગમાં બાંગ્લાદેશ સળગી ઉઠ્યું : 150 મોત, 2500 ઘાયલ : દેશમાં કર્ફ્યુ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
India T20 World Cup Squad: T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ બહાર, ઇશાન કિશનની સરપ્રાઈઝ એન્ટ્રી
ગુજરાત
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર