લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
અમદાવાદની વિમાન દુર્ઘટના જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. 12 જૂનના રોજ આ ગોઝારી દુર્ઘટના બની હતી જેમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત નિપજ્યાં છે ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોમાં ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોત થયું છે તેઓ પ્લેનક્રેશ દુર્ઘટના બાદ ગુમ થયા હતા ત્યારે DNA તેમજ એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર અને CCTV ચેક બાદ કચવાતા તેમના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને તેમને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.

અમદાવાદની વિમાન દુર્ઘટના જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. 12 જૂનના રોજ આ ગોઝારી દુર્ઘટના બની હતી જેમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત નિપજ્યાં છે ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોમાં ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોત થયું છે તેઓ પ્લેનક્રેશ દુર્ઘટના બાદ ગુમ થયા હતા ત્યારે DNA તેમજ એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર અને CCTV ચેક બાદ કચવાતા તેમના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને તેમને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.

12 જૂનના રોજ બપોરે આ દુર્ઘટના બની હતી જે બાદથી જ ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ થયા હતા ત્યારે એર ક્રેશ સાઇટની નજીકમાં મોબાઇલ સ્વિચ ઓફ થયો હોવાની વિગત મળી હતી. નરોડા વિસ્તારમાં મુરલીધર હાઇટ્સ, ડી માર્ટ ખાતે રહેતા મહેશભાઈ જીરાવાલા એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ શાહીબાગ સિવિલ હોસ્પિટલની આજુબાજુથી ગુમ થયા હતા.

શોધખોળ કરવામાં આવતા છતાં મહેશભાઈ ન મળતા તેમના ભાઈ દ્વારા ગુમ થવાની જાણવા અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. આ બાબતે ટેક્નિકલ સોર્સ આધારે તપાસ કરવામાં આવતા એર ક્રેશના બનાવની જગ્યાની નજીકમાં મોબાઈલ ફોન સ્વિચ ઓફ થયો હોવાની વિગતો મળી હતી, જેના આધારે તેઓ પણ પ્લેનક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાની પ્રથમ દૃષ્ટિએ શંકા ગઈ હતી. ત્યારે આ બાબતની જાણ તેમનાં પરિવારજનોને જણાવતાં તેઓ આ વાત માનવા તૈયાર નહોતાં.
આ પણ વાંચો : ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
CCTVન પુરાવા પણ પોલીસને મળ્યા હતા
પોલીસ ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી ત્યારે મહેશભાઈ એક્ટિવા મોટરસાઇકલ લઈને ગયેલા હોઈ, સીસીટીવી કેમેરા આધારે તપાસ કરી એક્ટિવા ઉપર મહેશભાઈ બનાવવાળી જગ્યાએથી આ જ સમયે પસાર થતા હોવાનું શોધી CCTVમાં જાણવા મળ્યું હતું તેમજ પોલીસે બનાવવાળી જગ્યાએ એક એક્ટિવા સળગી ગયેલી હાલતમાં મળી આવી હતી જેના એન્જિન અને ચેસીસનંબર આધારે ચેક કરવામાં આવતાં આ વાહન મરણ જનાર મહેશભાઈ જીરાવાલાનું હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારે આજરોજ પરિવારજનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.