PM મોદીએ અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત : એકમાત્ર જીવિત મુસાફર સહિત ઘાયલોના ખબરઅંતર પૂછ્યા
ગુરુવારે બપોરે લગભગ 1:40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. એરલાઇન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને પુષ્ટિ આપી છે કે વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. સવારે લગભગ 9 વાગ્યે પ્રધાનમંત્રીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોને મળ્યા હતા.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ એક પડકાર
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ એક પડકાર છે અને આ માટે DNA નમૂના લેવામાં આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 265 મૃતદેહો રાખવામાં આવ્યા છે. વિમાન દુર્ઘટનાની તપાસ બે સ્તરે શરૂ થઈ છે, જેમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિનો સમાવેશ થાય છે. બ્લેક બોક્સથી અકસ્માતનું કારણ બહાર આવવાની અપેક્ષા છે.

પ્રધાનમંત્રી મોદીએ પ્લેન દુર્ઘટનામાં બચી ગયેલા ઘાયલને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલોને મળ્યા અને તેમના ખબરઅંતર પૂછ્યા.
પ્રધાનમંત્રી મોદીએ અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું, તસવીરો સામે આવી

અકસ્માત સ્થળ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા અને વીડિયો સામે આવ્યા છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, અનેક વરિષ્ઠ અધિકારીઓ અને ટોચના નેતાઓ તેમની સાથે હાજર હતા.

વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોના મોતની પુષ્ટિ
ગુરુવારે બપોરે અમદાવાદમાં લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટના ભયાનક અકસ્માત બાદ પરિસ્થિતિ ખૂબ જ પીડાદાયક છે. અમદાવાદ પોલીસના ડેપ્યુટી કમિશનર કાનન દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે અકસ્માત બાદ અત્યાર સુધીમાં 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “અમને મળેલા સંદેશ મુજબ, 265 મૃતદેહો હોસ્પિટલમાં પહોંચ્યા છે.આ અકસ્માતને તાજેતરના વર્ષોમાં ભારતમાં થયેલા સૌથી ભયાનક વિમાન અકસ્માતોમાં ગણવામાં આવી રહ્યો છે, જેના કારણે સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો છે.