કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાને પગલે પોરબંદર આવી રહેલી ફલાઈટને રાજકોટ ડાયવર્ટ કરાઈ
ઘટના બાદ તુરંત જ એક ચાર્ટડ ફલાઇટ આવી રહી હતી,પોરબંદર એરપોર્ટ પર લેન્ડ ન કરાઇ
પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાને પગલે પોરબંદર આવી રહેલી ફ્લાઇટને રાજકોટ એરપોર્ટમાં ડાયવર્ટ કરવામાં આવી છે. રવિવારે બપોરે પોરબંદરમાં હેલિકોપ્ટર ક્રેશ થઈ અગનગોળામાં ફેરવાઈ ગયું હતું જેમાં બે પાયલોટ અને એક ક્રુ મેમ્બરનાં મૃત્યુ થયા હતાં.

આ સમયે પોરબંદર તરફ જઈ રહેલું એક પ્રાઇવેટ ચાર્ટરને પોરબંદર એરપોર્ટ પર લેન્ડ કરાવવાના બદલે રાજકોટ ડાયવર્ટ કર્યું હતું અને અહીં રાજકોટ એરપોર્ટના એટીસીએ આ ચાર્ટર્ડ પ્લેનને લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટના બાદ અન્ય વિમાનને પણ રાજકોટ અને જામનગર ડાયવર્ટ કરાયાં હોવાનું જાણવા મળે છે.