4થીએ ઐશ્વર્યા મજમુદાર રાજકોટમાં
રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં ખેલાડીઓનો જુસ્સો વધારશે
રાજકોટ : આગામી તા.4 જાન્યુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટથી રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવનાર છે ત્યારે ખેલ મહાકુંભના ઉદઘાટન સમારોહમાં સારેગામપ ફેઈમ સ્વર સામ્રાજ્ઞિ ઐશ્વર્યા મજમુદાર પણ વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓનો જુસ્સો વધારશે.

પ્રાપ્ત વિગતો મુજબ આગામી તા.4 જાન્યુઆરીના રોજ રાજકોટના એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરાશે, સાંજે 5થી 7 દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી 10 હજાર જેટલા રમતવીરો ભાગ લેનાર છે ત્યારે ખેલાડીઓનો જોમ જુસ્સો વધારવા માટે સારેગામપ ફેઈમ સ્વર સામ્રાજ્ઞિ ઐશ્વર્યા મજમુદાર પણ વિશેષ ઉપસ્થિત રહી પોતાના સુરેલા કંઠના કામણ પાથરી ખેલાડીઓનો ઉત્સાહ વધારનાર હોવાનું કલેકટર કચેરી કચેરીના સૂત્રો જણાવી રહયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં કુલ મળી 67 લાખ જેટલા રજીસ્ટ્રેશન થયા છે.જેમાં રાજકોટ કોર્પોરેશન કક્ષાએ 95867 રજીસ્ટ્રેશન થયા હોવાનું અને રાજકોટ રૂરલમાં 1,90,258 ખેલાડીઓના રજીસ્ટ્રેશન થયા છે. ખેલ મહાકુંભમાં સેરેબલપાલ્સી તેમજ મનોદીવ્યાંગ ખેલાડીઓ માટે પણ વિશેષ ઇવેન્ટ યોજનાર હોવાનું જાણવા મળે છે.