બાળકોને પ્રવાસે લઈ જવા માટે હવે શાળાઓ માટે ગાઇડલાઈન જાહેર: આટલા નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે
હરણી બોટકાંડ પછી રાજ્યમાં શાળાઓમાં પ્રવાસ પર પ્રતિબંધ આવી ગયો હતો જે હવે આગામી ત્રણ દિવસમાં ફાટી જાય તેવી સંભાવના વચ્ચે સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. દિવાળી પછી દ્વારા શૈક્ષણિક પ્રવાસ શરૂ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગતિવિધિઓ શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસે લઈ જવા માટેની ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે.
આ વિશે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરી પોસ્ટ કરતા કહ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી/અનુદાનિત/ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ ઘડતર થાય, અવલોકન શક્તિ વધે, જિજ્ઞાસા સંતોષાય તથા વિદ્યાર્થીઓને આનંદ સાથે શૈક્ષણિક હેતુ સિદ્ધ થાય તે માટે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક તથા વિકસિત સ્થળોએ પ્રવાસનું આયોજન કરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ જાહેર.
મહત્વની સૂચનાઓ
- પ્રવાસ માટે વાલીઓની સહમતી મેળવવાની રહેશે
- આચાર્ય ની અધ્યક્ષતામાં પ્રવાસ માટે સમિતિ બનાવવાની રહેશે
- પ્રવાસ ના પ્રકાર અનુસાર ૧૫ દિવસ પહેલા જાણ કરવાની રહેશે
- પ્રવાસના દિવસ પ્રમાણે વિગતો આપવાની રહેશે
- અનુભવી વ્યક્તિ કન્વિનર તરીકે રહેશે
- પ્રવાસ માટે કોઈને ફરજ પાડી શકાશે નહીં
- ૧૫ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક રીખવાનો રહેશે
- ફર્સ્ટ એઈડ કીટ સાથે રાખવાની રહેશે
- જીપીએસ ટ્રેકિંગ વાળા વાહનો માં જ પ્રવાસ કરવાનો રહેશે
- ફાયર સેફ્ટી ના સાધનો રાખવાના રહેશે
- બોટ રાઈડ મરજિયાત રાખવામાં આવ્યું
- બોટ રાઈડ ટાળવા અથવા ક્ષમતાથી વધુ ન બેસાડવા
- ગૃપ વાઈઝ એક શિક્ષક સાથે રાખવા અને લાઈફ જેકેટ ફરજિયાત રાખવા સૂચના
- તરણ જેવી જોખમી સ્પર્ધા માં ભાગ લેવાનો રહેશે નહીં
- રાત્રી ૧૦ વાગ્યા સુધી રાત્રી રોકાણ ના સ્થળ સુધી પોહોંચી જવું
નીચે મુજબની સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે
1. શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના વાલી પ્રતિનિધિ સહિત ‘સમિતિ’ની રચના કરવી તથા સ્થળો સંબંધી વ્યવસ્થા, રૂટ, જોખમો, પ્રવાસના લાભાલાભ વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી વિદ્યાર્થીઓના વયજુથ અનુસાર પ્રવાસના સ્થળોની પસંદગી કરવી.
2. શૈક્ષણિક પ્રવાસના પ્રકાર અનુસાર (૧) રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીને (૨) રાજ્ય બહારનો પ્રવાસ હોય તો કમિશ્નરશ્રી/નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર અને નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી, ગાંધીનગરને (૩) વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરને સાધનિક તમામ વિગતો સાથે પ્રવાસ શરૂ થવાના દિન-૧૫ પહેલાં અવશ્ય જાણ કરવાની રહેશે.
3. સમગ્ર પ્રવાસનો પ્રતિદિન (Day To Day) કાર્યક્રમની જાણ કરવાની રહેશે.
4. એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના ‘કન્વીનર’ તરીકે નિમણૂક કરવાની રહેશે તથા આયોજન મુજબ જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
5. જે વિદ્યાર્થીઓ સામેલ થવાના હોય તેમના વાલીઓ સાથે બેઠક (Meeting) યોજીને તેમને સૂચિત પ્રવાસ આયોજનથી અવગત કરવા તથા તેમની સંમતિ મેળવવાની રહેશે. જો વાલી કોઇ કારણસર આવેલ ન હોય ત્યારે વિદ્યાર્થી મારફત વાલીની સંમતિ મેળવવી, આવી સંમતિ લેખિતમાં લેવી તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતા/વાલીના આઇ.ડી.પ્રુફ તથા મોબાઇલ નંબર મેળવવા અને સંમતિ આપેલ હોવાની ખાતરી કરી લેવી.
6. પ્રવાસ મરજિયાત રહેશે કોઇ પણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ પાડી શકાશે નહિ.
7. પ્રવાસમાં ૧૫ વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછા ૧ (એક) શિક્ષક પ્રવાસમાં જોડાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે
8. દેખીતા જ બિમાર / ગંભીર બિમાર હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસ સહન ન કરી શકે તેવા શારીરિક-માનસિક રીતે નબળા વિદ્યાર્થીઓ, પ્રવાસથી એલર્જી હોય તેમજ મુસાફરી ન કરી શકે તેવા વિદ્યાર્થીઓનો પ્રવાસમાં સમાવેશ કરવાનો રહેશે નહી.
9. જ્યાં છોકરા અને છોકરીઓનો સંયુક્ત પ્રવાસ હોય ત્યાં મહિલા કર્મચારી સામેલ કરવા તથા તેમના માટે સલામતીની પૂરતી કાળજી રાખવાની રહેશે. ૧૦. વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા, ગોષ્ઠી, મિટીંગ કરી “શું કરવું, શું ન કરવું તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવુ તથા વિદ્યાર્થીઓ પર પૂરેપૂરી દેખરેખની વ્યવસ્થા કરવી, ટૂંકમાં સલામતીનો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો.10. વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા, ગોષ્ઠી, મિટીંગ કરી ‘શું કરવું, શું ન કરવું તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવુ તથા વિદ્યાર્થીઓ પર પૂરેપૂરી દેખરેખની વ્યવસ્થા કરવી. ટૂંકમાં સલામતીનો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો