- કુબલિયાપરામાં માનસિક બીમારીથી કંટાળી યુવકે મોત મીઠું કર્યું,ખારચિયા ગામે અગમ્ય કારણસર તરુણી ઝેર દવા ગટગટાવી જીવન દોર ટૂંકાવી લીધી
શહેરમાં વધી રહેલા આપઘાતના બનાવ વચ્ચે વધુ ત્રણ આવા કિસ્સા સામે આવ્યા છે.જેમાં પુત્રની બીમારીની ચિંતામાં પિતાએ ફાંસો ખાઈ લીધો હતો.કુબલિયાપરામાં માનસિક બીમારીથી કંટાળી યુવકે મોત મીઠું કર્યું હતું. ત્યારે ખારચિયા ગામે તરુણી ઝેર દવા ગટગટાવી લેતાં જીવન દોર ટૂંકાવી લીધી હતી.
બનાવની વિગતો મુજબ, વાવડીમાં વિસ્તારમાં રહેતા દિપેશ ઉમેશગીરી ગોસ્વામી (ઉં.વ.24) નામના યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો.બનાવ અંગે જાણ થતાં પરિવારે તુરંત ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી ત્યારે ૧૦૮ ના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.તાલુકા પોલીસ મથકના સ્ટાફે જરુરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવકના દોઢ વર્ષના પુત્રને વારંવાર આંચકી આવી જતી હોવાથી તે સતત ચિંતામાં રહેતો હતો.પોલીસે મૃતકના પરિવારનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજા બનાવમાં, કુબલીયાપરા શેરી નંબર ૫ માં રહેતો ૪૦ વર્ષિય વિનોદ નાનુભાઈ કોણપરીયાએ સવારે પોતાના ઘરે લોખંડના એંગલ માં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.બનાવ અંગે જાણ થતાં જ પાડોશીએ તાકીદે ૧૦૮ને જાણ કરતા હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.કે યુવક ભંગાર ની ફરીથી પરીવારનું ગુજરાન ચલાવતો હતો તેમજ કેટલાક સમયથી તે માનસિક બીમારી હોય જેના કારણે આ પગલું ભરી લીધા હોવાનું સામે આવ્યું છે.
ત્રીજા બનાવમાં સરધારના ખારચિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા ખેત મજૂર પરિવારની ૧૬ વર્ષિય લખીબેન કનેસિહ મહીડા નામની તરૂણીના માતા-પિતા બહારગામ ગયા હતા ત્યારે તેણીએ વાડીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.બનવા અંગે જાણ થતાં જ આજુબાજુ ના ખેત મજૂરો દોડી આવીને તેણીએ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહી સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેણીએ દમ તોડી દીધો હતો. બનાવ અંગે જાણ થતાં જ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવી જરુરી કાગળ કાર્યવાહી હાથ ધરી તરુણીએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે અંગે વધુ તપાસ હાથ ધરીહતી.