Mirzapur Season 3 : “ઘાયલ શેર લૌટ આયા હૈ” ધમાકેદાર ટીઝરની સાથે રીલીઝ ડેટ આવી સામે
વર્ષની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર 3’ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે. ‘મિર્ઝાપુર 3’ની રિલીઝ ડેટને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. ત્યારે ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. ‘મિર્ઝાપુર સિઝન 3’ને લઈને દરેકના મનમાં એક જ સવાલ હતો કે આ સિરીઝ ક્યારે આવી રહી છે? અંતે, પ્રાઇમ વિડિયોએ તેની ત્રીજી સીઝનની પ્રીમિયર તારીખની જાહેરાત કરી છે અને તેની સાથે એક મજેદાર ટીઝર પણ લોન્ચ કર્યું છે. આ ફેવરિટ શો ‘મિર્ઝાપુર સિઝન 3’ આવતા મહિને 5મી જુલાઈના રોજ OTT પર પ્રીમિયર થવા જઈ રહી છે અને ટીઝર જોયા બાદ લોકોની ઉત્સુકતા એક અલગ જ સ્તરે જોવા મળી રહી છે.
મિર્ઝાપુરની પ્રથમ બે સિઝનમાં પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દુ, રસિકા દુગ્ગત અને શ્વેતા ત્રિપાઠીએ પોતાના અભિનયથી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. ડાયલોગ્સથી લઈને સ્ટોરી સુધી એમેઝોન પ્રાઇમ વીડિયોની આ સીરીઝની બંને સીઝન લોકોના દિલમાં વસી ગઈ હતી. આવી સ્થિતિમાં હવે ચાહકો વેબ સિરીઝની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે મિર્ઝાપુર સીઝન ૩ની રીલીઝ ડેટની સાથે ટીઝર આઉટ થતા લોકો સીરીઝ જોવા માટે વધુ ઉત્સુક થયા છે.
‘મિર્ઝાપુર’ સીઝન 3ની સાથે શોનું નવું પોસ્ટર પણ સામે આવ્યું છે. આ પોસ્ટરમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, અંજુમ શર્મા, વિજય વર્મા અને ઈશા તલવાર જોવા મળી રહ્યા છે. મિર્ઝાપુરનું સિંહાસન આગમાં સળગતું જોઈ શકાય છે. ગોલુ ગુપ્તા (શ્વેતા ત્રિપાઠી)નો લુક પણ સાવ બદલાઈ ગયો છે.
‘મિર્ઝાપુર સીઝન 2’ પછીની સ્ટોરી સીઝન 3માં આગળ વધવાની છે. ગુડ્ડુ ભૈયા અને ગોલુ ગુપ્તા તેમનો બદલો લેવા માટે સીઝન 2 માં આવ્યા હતા. શોના અંતમાં મુન્ના ભૈયા (દિવ્યેન્દુ શર્મા)ને મરતો બતાવવામાં આવ્યો હતો. જ્યારે કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી) ગંભીર રીતે ઘાયલ થયો હતો. શરદ ઉર્ફે છોટે શુક્લા (અંજુમ શર્મા) કાલીન ભૈયાને મદદ કરતો જોવા મળ્યો હતો. ત્યારે હવે સીઝન 3માં સ્ટોરી કેવો વળાંક લે છે તે જોવું રહ્યું. શું ‘મિર્ઝાપુર’ પર કાલીન ભૈયાનું શાસન સમાપ્ત થશે કે પછી તેઓ તેમની ગાદી પર પાછા ફરશે? આ સવાલનો જવાબ આપણને સૌને 5મી જુલાઈએ મળશે.