નેવીના વડા તરીકે દિનેશ ત્રિપાઠીની નિમણુંક
ઇન્ડિયન નેવીના વાઈસ ચીફ વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠી,પીવીએસએમ, એવીએસએમ, એનએમ ની નેવીનાં આગામી વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલના વડા નેવલ સ્ટાફ, એડમિરલ આર હરિ કુમાર, પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ 30 એપ્રિલ, 2024ના રોજ સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યાં છે. દિનેશ ત્રિપાઠી તેમનું સ્થાન લેશે.
15 મે, 1964ના રોજ જન્મેલા વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીને 01 જુલાઈ, 1985ના રોજ ભારતીય નૌકાદળની એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેઓ કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક વોરફેર નિષ્ણાત છે . તેમણે લગભગ 39 વર્ષ સુધી લાંબી અને વિશિષ્ટ સેવા આપી છે. નૌકાદળના વાઇસ ચીફ તરીકે કાર્યભાર સંભાળતા પહેલા, તેઓ પશ્ચિમી નૌકા કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યરત હતા.
વીએડીએમ ડીકે ત્રિપાઠીએ ભારતીય નૌકાદળના જહાજ વિનાશ, કિર્ચ અને ત્રિશુલની કમાન પણ સંભાળી છે.