રાજકોટમાં સનાતન ધર્મની રક્ષા માટે શ્રી રામ રણુજા મદિરની થઈ હતી સ્થાપના
શ્યામબાપુ રામબાપુએ વર્ષ ૧૯૫૬મા મદિર બધાવી સત સેવા શરૂ કરી હતી: રાજ્યભરમાથી રામદેવપીરના દર્શનાર્થે આવે છે ભક્તો અને સાધુ સતો: ૩ એકરમા પથરાયેલુ છે મદિર

રાજકોટમા કોઠારીયા રોડ પર શ્રી રામ રણુજા મદિર છે કે જ્યા મોટી સખ્યામા ભાવિકો શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે. વિશાળ જગ્યામા પથરાયેલુ આ મદિર જેટલુ ભવ્ય છે તેટલો જ તેનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. વર્ષ ૧૯૫૬મા આ મદિર સનાતન ધર્મની રક્ષા અને સનાતન ધર્મા પ્રસાર-પ્રસાર માટે બનાવવામા આવ્યુ હતુ. આ ઉપરાત સત સેવા, ભજન, સત્સગની પ્રેરણા એ જ લક્ષ્ય સાથે આશ્રમની સ્થાપન કરવામા આવી હતી.

કોઠારીયા રોડ પર આવેલા શ્રી રામ રણુજા મદિરમા શ્યામબાપુ રામબાપુના શિષ્ય અને હાલના મહત, પૂજારી અને મદિરની દેખરેખ કરતા રઘુનાથ દાસજી બાપુએ મદિરની સ્થાપના થી લઈને ઇતિહાસ વિશે જણાવ્યુ હતુ. એમણે જણાવ્યુ હતુ કે, આ મદિર ૧૯૫૬મા શ્યામબાપુ રામબાપુએ બધાવ્યુ હતુ. વર્ષો સુધી પહાડોમા શ્યામબાપુ રામબાપુએ ધૂણી તાપી, સાધના કરી હતી. બાદમા ફરતા ફરતા તેઓ અહી આવ્યા હતા. તે સમયે આ મદિરમા આવેલા લીમડા નીચે ધ્યાન ધર્યું હતુ અને રામદેવપીર તેમના સપનામા આવ્યા હતા બાદમા શ્યામબાપુએ રામદેવપીર મદિરની સ્થાપના કરી.
આ મદિર અદાજે ૩ એકરમા પથરાયેલુ છે. મદિર બન્યા બાદ હિન્દુ ધર્મની રક્ષા માટે જગતગુરુ રામાનદાચાર્યજીની મૂર્તિની સ્થાપના કરી હતી. બાદમા સીતારામ, મેલડી માતાજી, ખોડિયાર માતાજી, નિલકઠેશ્વર મહાદેવ મદિર પણ બનાવ્યુ હતુ. શ્યામદાસબાપુએ રામદેવપીરનુ મદિર બનાવ્યા બાદ અહી સતોની સેવા શરૂ કરી. દેશભરમાથી ફરતા ફરતા આવતા સાધુ સતોની તેઓ સેવા કરતા અને જ ભોજન પણ જમાડતા.

આજે પણ રણુજા મદિરમા આખા દેશમાથી દરરોજ અદાજે ૧૦ થી ૧૫ સાધુ સતો આવે છે અને તેમના માટે રોજ ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામા આવે છે. મદિરમા જ ભોજન શાળા છે જ્યા રસોડુ ચાલે છે. આ ઉપરાત બહારગામથી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે પણ અહી ભોજનની વ્યવસ્થા કરવામા આવે છે.
આ મદિરમા આજે પણ શ્યામબાપુ રામબાપુની સમાધિ આવેલી છે. જ્યારે વર્ષ દરમિયાન જલ જમણી એકાદશી, મહા શિવરાત્રી, રામનવમી, ગુરૂપૂર્ણિમા, બાર બીજ વેગેરે જેવા ધર્મિક ઉત્સવો ઉજવાય છે. મહત્વનુ છે કે, જ્યારે આ મદિરની સ્થાપના કરવામા આવી હતી તે સમયે પ્રથમ રામદેવપીરની મૂર્તિ સ્થાપન કરવામા આવી હતી બાદમા સીતારામજીની મૂર્તિ સ્થાપના કરવામા આવી હતી. બાદમા ધીમે ધીમે આ મદિરનો વિકાસ થતો ગયો અને આજે મદિર, આશ્રમની સાથોસાથો શ્રી રામ રણુજા મદિર ધામ બની ગયુ છે.
જે લીમડા નીચે શ્યામબાપુએ ધ્યાન ધર્યું તેની ડાળ મીઠી થઈ ગઈ હતી

કોઠારીયા રોડ પર આવેલા શ્રી રામ રણુજા મદિરમા વર્ષો પહેલા શ્યામબાપુએ અહી આવેલા એક લીમડા નીચે બેસીને કઠોર ધ્યાન ધર્યું હતુ. આ ઉપરાત તે અહી બેસીને સત્સગ, ભજન કરતા હતા. ત્યારે શ્યામબાપુની સાધનાને કારણે આ લીમડાની ડાળ પણ મીઠી થઈ ગઈ હતી તેવુ મદિરના મહત રામનાથદાસજી બાપુએ જણાવ્યુ હતુ.
મંદિરમાં આવતા સાધુ-સંતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થાની પરંપરા અવિરત ચાલુ…
શ્રી રામ રણુજા મંદિરમાં દરરોજ રાજકોટ ઉપરાંત સમગ્ર દેશમાંથી અનેક સંતો-મહંતો પધારતા હોય છે. અહીં તેઓ ભજન-સત્સંગ કરે છે. વર્ષોથી આ મંદિરમાં આવતા સાધુ-સંતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. જે આજે પણ યથાવત છે.