ઓડિશામાં ભયંકર અકસ્માત,8ના મોત, 12 લોકો ગંભીર રીતે ઘાયલ
ઓડિશામાં ઘાટગામમાં કરુણાતિંકા ઘટના
મુસાફરો ભરેલા વાહનની ટ્રક સાથે ટક્કર
ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ
ઓડિશાના ઘાટગામમાં પાસે ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. મુસાફરો ભરેલું વાહન રસ્તા પર ઉભેલી ટ્રક સાથે અથડાતાં 8 લોકોના મોત જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. દ્રશ્યો એવા ભયાવહ છે કે ભલભલાનું હૃદય કંપી ઉઠે.
કેવી રીતે થયો અકસ્માત?
મળતી માહિતી અનુસાર અકસ્માત શુક્રવારે વહેલી સવારે થયો હતો. ઇજા પામેલા લોકો ગંજમના દિગપહાંડીના રહેવાસી હતા અને દર્શન માટે જિલ્લાના મા તારિણી મંદિરના દર્શને વાનમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં NH-20 પર પાર્ક કરેલી ટ્રક સાથે વાન અથડાઈ હતી. મળતી માહિતી મુજબ, 7 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે વાનના કૂરચે કૂરચા ઉડી ગયા હતા.
ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા
અકસ્માતમાં કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સાથે જ પોલીસે આ અકસ્માતની તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે થયો તે હજુ સુધી સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.