સરકારી સલાહ : શિયાળામાં આ 8 સસ્તા શાક ફાયદાકારક છે
શિયાળામાં ફ્લૂ, ખાંસી, તાવ, સાંધામાં દુઃખાવો જેવી પરેશાનીથી બચાવ માટે ખાનપાન પર વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ભોજનનની થાળીમાં ઇમ્યૂનિટીને બૂસ્ટ કરતાં ફૂડ્સને સામેલ કરવાથી સ્વાસ્થ્ય જળવાઇ રહે છે. દશેરાના તહેવાર બાદ ઠંડીની ઔપચારિક જાહેરાત થઇ જાય છે. ગુલાબી ઠંડીમાં ઇમ્યૂનિટી કમજોર થઇ જાય છે ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનના કારણે વ્યક્તિ સરળતાથી બીમાર પણ પડી શકે છે.
રોગ પ્રતિકારક ક્ષમતાવાળા ડાયટથી ફ્લૂ, તાવ, ખાંસી-શરદી વગેરેને દૂર કરી શકાય છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા શરદ ઋતુમાં કેવા પ્રકારનું ડાયટ રાખવું જોઇએ તેનું લિસ્ટ જાહેર કર્યુ છે. શિયાળામાં પરવળ, દૂધી, કારેલા, રતાળુ, મૂળા, ગાજર, બીટ અને સફેદા પેઠા વગેરેને થાળીમાં સામેલ કરવાનું કહ્યું છે. શિયાળામાં સાદુ પાણી પણ નુકસાન કરી શકે છે, તેથી પાણીમાં કેટલાંક હર્બ્સ નાખવાથી પણ સ્વાસ્થ્ય જળવાઇ રહે છે.
પરવળ અને દૂધીના ફાયદા
પરવળમાં ખૂબ જ ઓછી કેલેરીની સાથે વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, કોપર અને ડાયટરી ફાઇબર હોય છે જે ડાયજેશનમાં સુધાર લાવે છે. દિમાગની ક્ષમતા અને ઇમ્યૂનિટી વધારવા માટે તેને થાળીમાં સામેલ કરો. જ્યારે પાણીથી ભરપૂર દૂધી કબજિયાતમાં રાહત આપે છે. પરવળની માફક જ તેમાં લૉ કેલેરી હોય છે તેથી વેઇટ લોસ પ્લાનિંગમાં પણ તે મદદ કરે છે. દૂધી લિવરને હેલ્ધી રાખે છે અને હાઇપર ટેન્શનને દૂર કરે છે.
કારેલા ખાવાના ફાયદા
કારેલા એક એન્ટીડાયાબિટીક ફૂડ છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. તેને ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે અને લોહી શુદ્ધ થાય છે. કારેલાં પેટ, સ્કિન, વાળ અને આંખોની રોશનીને તેજ કરવામાં મદદ કરે છે.
રતાળુ અને મૂળીના ફાયદા
રતાળુ અને મૂળા ઠંડકના સાખ છે, તેમાં અનેક મેક્રો અને માઇક્રો ન્યૂટ્રિએન્ટ્સ રહેલા છે. રતાળૂમાં વિટામિન સી, વિટામિન B5, મેન્ગેનિઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોલેટ હોય છે. જ્યારે મૂળાના સેવનથી ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર, હાર્ટ ડિઝીઝ, ડાયજેસ્ટિવ ડિસઓર્ડર, ફંગલ ઇન્ફેક્શનની સમસ્યામાં રાહત મળે છે.